શોધખોળ કરો

Abrogation of Article 370: હવે આર્ટિકલ 370ને લઇને ઓગસ્ટ મહિનામાં સુનાવણી , સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપ્યા આ નિર્દેશ

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવામાં આવ્યું હતું,

Article 370 Hearing: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર હવે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે 2 ઓગસ્ટથી સુનાવણી શરૂ કરશે. ભારતના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે તમામ પક્ષકારોને 25મી જૂલાઇ સુધીમાં તમામ મુદ્દાઓની યાદી બનાવવાના નિર્દેશ આપ્યા હતા. આ પહેલા કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરના નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા.

વિશેષ દરજ્જો નાબૂદ કરવા સામેની અરજીઓ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું હતું કે અગાઉ મુદ્દાઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી  CJIએ કહ્યું કે તમામ પક્ષોએ 25 જૂલાઈ સુધી આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 ઓગસ્ટથી આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુનાવણી શરૂ થતાં પહેલા એ પણ જણાવવું જોઈએ કે કોણ કઈ બાજુથી ઉલટતપાસ કરશે.

નોંધનીય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.

કેન્દ્ર દ્વારા દાખલ કરાઇ એફિડેવિટ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370ને લઈને એફિડેવિટ દાખલ કરાઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી નવી એફિડેવિટ છેલ્લા 4 વર્ષમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં થયેલા સુધારા પર આધારિત છે. આ બાબતમાં સંડોવાયેલા બંધારણીય પ્રશ્નો પર વિચાર કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget