શોધખોળ કરો

Telangana Budget 2022: તેલંગાણા સરકારે રજૂ કર્યુ બજેટ, જાણો કયા ક્ષેત્રને શું મળ્યું

Telangana Budget 2022: તેલંગાણાના નાણા પ્રધાન ટી. હરીશ રાવે 7 માર્ચે રાજ્ય વિધાનસભામાં 2022-23 માટે તેલંગાણા બજેટ રજૂ કર્યું. જેમાં તેની નવી મુખ્ય યોજના દલિત બંધુ માટે ₹17,700 કરોડનો સમાવેશ થાય છે.

Telangana Budget 2022: તેલંગાણાના નાણા પ્રધાન ટી. હરીશ રાવે 7 માર્ચે રાજ્ય વિધાનસભામાં 2022-23 માટે તેલંગાણા બજેટ રજૂ કર્યું. જેમાં તેની નવી મુખ્ય યોજના દલિત બંધુ માટે ₹17,700 કરોડનો સમાવેશ થાય છે. રાવે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું, કેન્દ્ર એક તરફ કૃષ્ણા નદીમાં તેલંગાણાના પાણીના હિસ્સાને અંતિમ સ્વરૂપ આપી રહ્યું નથી અને બીજી તરફ પ્રોજેક્ટ્સને મંજૂરીઓ અટકાવી રહ્યું છે. 

90-મિનિટમાં વાંચવામાં આવેલા 76 પાનાના ભાષણની હાઇલાઇટ્સ 

  • ₹2,56,958.51 કરોડના બજેટમાં ₹1,89,274.82 કરોડ મહેસૂલ ખર્ચ અને ₹29,728.44 કરોડ મૂડી ખર્ચનો સમાવેશ થાય છે.
  • તેલંગાણાનો GSD 8.9% ના GDP (રાષ્ટ્રીય) વૃદ્ધિ દર સામે 19.1% ના વૃદ્ધિ દર સાથે 2021-22 માટે ₹11,54,860 કરોડનો અંદાજ છે.
  • તેલંગણામાં ઉત્પાદન અને બાંધકામનો વિકાસ દર 21.5% નોંધાયો છે. સેવા ક્ષેત્રે 18.3%નો વિકાસ દર મૂક્યો છે.
  • GSDPમાં કૃષિ ક્ષેત્રે 20% થી વધુ યોગદાન આપ્યું છે. 2022-23 માટે કૃષિ માટેનો ખર્ચ ₹24,254 કરોડ છે.
  • તેલંગાણાની માથાદીઠ આવક 2021-22માં ₹2,78,833 સુધીની છે. જે રાષ્ટ્રીય સરેરાશ ₹1,49,848 કરતાં 18.8% વધારે છે.
  • સિંચાઈ ક્ષેત્ર માટે ₹22,675 કરોડની ફાળવણી.
  • પલ્લે પ્રગતિ માટે ₹3,330 કરોડ ફાળવવામાં આવ્યા છે અને ગામડાઓના વિકાસ માટે તથા ₹1,394 કરોડ પટ્ટણા પ્રગતિ અથવા નગરોના વિકાસને ફાળવવામાં આવ્યા છે.
  • શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા મન ઉરુ, મન બદી કાર્યક્રમને ₹7,289 કરોડ ફાળવવામાં આવ્યા. ગ્રામીણ વિસ્તારોમાં 9,123 શાળાઓને ₹3,497 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • મેડક, મેડચલ, રંગારેડ્ડી, મુલુગુ, વારંગલ, નારાયણપેટ અને ગડવાલ જિલ્લામાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે ₹1,000 કરોડની ફાળવણી.
  • તેલંગાણામાં હેલ્થકેર પર માથાદીઠ ખર્ચ ₹1,698 છે જે તાજેતરમાં કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
  • મિશન કાકટિયા, સિંચાઈ યોજનાઓ અને રાયથુ બંધની મદદથી તેલંગાણામાં કુલ વાવેતર વિસ્તાર 2020-21માં 2.09 કરોડ એકર જેટલો છે, જે 2014-15માં 1.31 કરોડ એકર હતો.
  • સરકારે રાયથુ બંધુ પર ₹50,448 કરોડ ખર્ચ્યા છે. લગભગ 63 લાખ ખેડૂતોને પ્રતિ એકર ₹10,000 આપવામાં આવે છે.
  • રાયથુ બંધુ હેઠળ જમીનધારક ખેડૂતોને જૂથ જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. 75,501 કુટુંબોને અત્યાર સુધીમાં ₹3,775 કરોડનો વીમા લાભ આપવામાં આવ્યો છે. મૃત્યુના કારણને ધ્યાનમાં લીધા વિના આ લાભ અપાયો છે. જેમાં જમીનધારક ખેડૂતના મૃત્યુની ઘટનામાં કુટુંબ દીઠ ₹5 લાખની સહાય મળે છે.
  • સરકારે 2022-23 દરમિયાન પામ ઓઇલની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ₹1,000 કરોડની ફાળવણી કરી છે.
  • સિંચાઈ સુવિધા 2021 સુધીમાં વધીને 85.89 લાખ એકર થઈ ગઈ હતી જે 2014માં માત્ર 20 લાખ એકર હતી.
  • ₹5,350 કરોડ સાથે લેવામાં આવેલી નાની સિંચાઈ ટાંકીઓના પુનઃસ્થાપનથી 15.05 લાખ એકર જમીનને સ્થિર કરવામાં મદદ મળી.
  • સરકારે લાભાર્થી દીઠ ₹3 લાખના દરે ઘરની સાઈટ ધરાવતા ગરીબો દ્વારા મકાનોના બાંધકામ માટે ધિરાણ કરવાનો નિર્ણય લીધો છે. ડબલ બેડરૂમના મકાનો માટે ₹12,000 કરોડની ફાળવણી.
  • સરકાર વર્ધા બેરેજ, કુપ્તી, ચેન્નુરુ લિફ્ટ ઈરીગેશન, નાલગોંડા એલઆઈ, ગટ્ટુ એલઆઈ માટે ટૂંક સમયમાં ટેન્ડરો મંગાવશે.
  • સામાજિક સુરક્ષા (આસારા) પેન્શન માટે 2022-23 થી લાગુ કરવામાં આવશે. વર્તમાન વય મર્યાદા 65 થી ઘટાડીને 57 વર્ષની કરાશે. તમામ સામાજિક સુરક્ષા પેન્શન માટે ₹11,728 કરોડની ફાળવણી.
  • કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક યોજનાઓ માટે ₹2,750 કરોડની ફાળવણી.
  • કુલ 4 લાખ લાભાર્થીઓને 2022-23માં તેમની સાઈટમાં બાંધકામના મકાનો માટે પ્રત્યેક એસેમ્બલી સેગમેન્ટ દીઠ 3,000ના દરે ₹3 લાખ આપશે.
  • 12.98% ના વૃદ્ધિ દર સાથે 2021 માં તેલંગાણામાંથી IT નિકાસનું મૂલ્ય ₹1,45,522 કરોડ.
  • અદિલાબાદ, કુમરામ ભીમ, ભદ્રાદ્રી, ભૂપાલપલ્લી, કામરેડ્ડી, વિકરાબાદ, મુલુગુ, ગડવાલ એન કુર્નૂલ જિલ્લામાં દર વર્ષે 1.25 લાખ કુપોષિત સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને KCR ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે.
  • રાયથુ વીમા યોજનાની જેમ તમામ હેન્ડલૂમ અને પાવર લૂમ કામદારો માટે આગામી નાણાકીય વર્ષ દરમિયાન ₹5 લાખની વીમાની રકમ સાથે વીમા યોજના.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget