આંધ્રપ્રદેશના કૂરનૂલમાં ભયંકર દુર્ઘટના, બાઇક બસ સાથે અથડતાં, ભીષણ આગ,12થી વધુના મોત
Bus Accident Andhra Pradesh: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ભયાનક બસ અકસ્માત થયો, જેમાં 12થી વધુના મોત થયા હોવાની આશંકા છે. એવું જાણવા મળ્યું છે કે, બસ મોટરસાઇકલ સાથે અથડાયા બાદ આગ લાગી હતી.

Bus Accident Andhra Pradesh:શુક્રવારે સવારે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક બસમાં આગ લાગી. શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લામાં 40 મુસાફરોને બેંગલુરુ લઈ જતી ખાનગી સ્લીપર બસમાં આગ લાગતાં 12થી વધુ લોકોના મોત થયા હતા. હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી કાવેરી ટ્રાવેલ્સની માલિકીની બસ ચિન્નાટેકુરુ ગામ નજીક એક ટુ-વ્હીલર સાથે અથડાયા બાદ સંપૂર્ણપણે બળીને ખાક થઇ હતી.
બસમાં 41 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની ધારણા છે. કાવેરી ટ્રાવેલ્સની બસ મધ્યરાત્રિની આસપાસ હૈદરાબાદથી રવાના થઈ હતી. કુર્નૂલ શહેરની બહારના વિસ્તારમાં ઉલિંડાકોંડા નજીક પહોંચતા જ પાછળથી આવતી એક ટુ-વ્હીલર તેની સાથે અથડાઈ ગઈ.
I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…
— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025
બાઇક બસ નીચે ફસાઈ ગઈ અને ઇંધણ ટાંકી સાથે અથડાઈ, જેના કારણે ભીષણ આગ લાગી જે ઝડપથી આખા વાહનમાં ફેલાઈ ગઈ. કુર્નૂલ બસ અકસ્માત અંગે, કુર્નૂલ જિલ્લા કલેક્ટર ડૉ. એ. સિરીએ ANI ને જણાવ્યું, "આ અકસ્માત સવારે 3 થી 3:10 વાગ્યાની વચ્ચે થયો જ્યારે બસ એક બાઇક સાથે અથડાઈ, જેના કારણે બળતણ લીકેજ થયું અને આગ લાગી. 41 મુસાફરોમાંથી 21 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 11 ના મૃતદેહની ઓળખ અત્યાર સુધી થઈ ગઈ છે. બાકીના લોકોની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે."
પીએમ મોદીએ દુર્ઘટનાને લઈ વ્યક્ત દુઃખ કર્યું છે. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે.જયારે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાયનું કર્યું એલાન કર્યું છે.
Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) October 24, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…



















