શોધખોળ કરો

Amit Shah : દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને અમિત શાહનો ગર્ભિત ઈશારો

અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બરાબર જામી છે. આ ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે તેમણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ ભલામણ કરી હતી.  

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચર્ચા અને ચર્ચા પછી. તેમણે કહ્યું હતું કે, ભાજપે જનસંઘના સમયથી દેશની જનતાને આ વચન આપ્યું છે. માત્ર ભાજપ જ નહીં, બંધારણ સભાએ પણ સંસદ અને રાજ્યોને યોગ્ય સમયે UCC લાવવાની સલાહ આપી હતી. કારણ કે, કોઈ પણ ધર્મનિરપેક્ષ દેશ માટેના કાયદા ધર્મ પર આધારિત ન હોવા જોઈએ. જો દેશ અને રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો કાયદા ધર્મ આધારિત કેવી રીતે હોઈ શકે? જેથી દરેક માટે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હોવા જોઈએ.

"લોકશાહીમાં ચર્ચા અનિવાર્ય : શાહ

અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી. લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. તેથી આ મુદ્દે પણ ખુલ્લી અને સ્વસ્થ ચર્ચાની જરૂર છે.

"સમાન નાગરિક સંહિતા લાવવા માટે ભાજપ પ્રતિબદ્ધ"

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભાજપ શાસિત ત્રણ રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી છે, જ્યાં વિવિધ ધર્મના લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ કવાયત બાદ જે ભલામણો આવશે તેના આધારે અમે કાર્યવાહી કરીશું. તમામ લોકતાંત્રિક ચર્ચાઓ પૂરી થયા બાદ ભાજપ સમાન નાગરિક સંહિતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ તેમની સૌથી મોટી સફળતા છે એમ પુછવામાં આવતા ગૃહમંત્રી શાહેએ કહ્યું હતું કે, કોઈપણ સફળતા તેમની વ્યક્તિગત સફળતા નથી કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી છે અને દરેક સફળતા સરકારની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઘણા વર્ષોથી એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે, કલમ 370ના કારણે જ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હતો. હવે ન તો કલમ 370 છે અને ન તો કલમ 35A, છતાં જમ્મુ-કાશ્મીર ભારતની સાથે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Valsad Rains: વાપીમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ
Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?
Surat BRTS Accident News : પાંડેસરામાં BRTS બસના ચાલકે કર્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
BJP Leader's Letter Bomb: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની ખુદ ભાજપના નેતાએ ખોલી પોલ
Vadodara Health Department: શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વડોદરા આરોગ્ય વિભાગ એકશનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
Religion: શું મંદિરમાં મોબાઈલ લઈ જવો ખરેખર ખોટું છે?
Religion: શું મંદિરમાં મોબાઈલ લઈ જવો ખરેખર ખોટું છે?
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Embed widget