શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર, સાત રાજ્યમાં કોરોનાથી એક પણ મોત.....
કેન્દ્ર સરકારે સાવચેતી રાખાની ચેતવણી આપી છે. હજુ પણ દેશના 70 ટકા લોકો પર કોરોના સંક્રમણનો ખતરો છે.
![કરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર, સાત રાજ્યમાં કોરોનાથી એક પણ મોત..... The biggest relief news from Corona virus, one death from Corona in seven states કરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર, સાત રાજ્યમાં કોરોનાથી એક પણ મોત.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/21232701/coronavirus.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
કોરોના સંક્રમણથી મોતને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી દેશના સાત રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નથી થયુ. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 15 રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નિપજ્યુ નથી.
જોકે કેન્દ્ર સરકારે સાવચેતી રાખાની ચેતવણી આપી છે. હજુ પણ દેશના 70 ટકા લોકો પર કોરોના સંક્રમણનો ખતરો છે. એટલે જે પ્રકારે અત્યાર સુધી સતર્કતા રાખવામાં આવી છે એ જ પ્રમાણે આગળ પણ સતર્કતા રાખવામાં આવે. કેંદ્ર સરકારે દાવો કર્યો કે છેલ્લા 24 દિવસમાં 60 લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં 234 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.56 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 353 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,473 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2016 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)