શોધખોળ કરો

દેશનાં આ ત્રણ રાજ્યોમાં કેટલા જિલ્લામાં ફરી લદાયું સંપૂર્ણ લોકડાઉન ? જાણો તમામ જિલ્લાની વિગતો

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 487 લોકોના મોત થયા છે અને 24,879 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામે કેટલાક જિલ્લામાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળઃ કોરોનાના વધતા મામલાને જોઈ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન અને કોરોનાના વધારે કેસ છે તેવા બફર ઝોનમાં આજથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોલકાતા શહેરમાં 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે સાઉથ 24 પરગનામાં 155 અને નોર્થ 24 પરગનામાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે. આ ઉપરાંત હાવડા, હુગલી, નાદિયા, પૂર્વ મદિનાપુર, પશ્ચિમ મદિનાપુર, માલદા, જલપાઈગુડી, દાર્જિલિંગ, કાલિમપોંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, બાંકુરા, કૂચ બિહારમાં વિવિધ કન્ટેન્ટમેન્ટ એરિયામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આસામઃ કોરોનાના વધતા મામલાને જોતા આસામના જોરહાટમાં 9 જુલાઈથી 15 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. કોવિડ-19 સંક્રમણ પર રોક લગાવવા 9 જુલાઈથી સાંજે 7 વાગ્યાથી લોકડાઉન લાગુ કરાશે. ડેપ્યુટી કમિશ્નર રોશની અપરાનજી કોરાટીએ કહ્યું, જોરહાટ મ્યુનિસિપલ બોર્ડની અંતર્ત આવતા તમામ વિસ્તારમાં ગુરુવારથી લોકડાઉન લાદવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારના વાહનોની અવર-જવર, સરકારી અને ખાનગી ઓફિસ ખોલવા, માર્કેટ, શોપિંગ કોમ્પલેક્સ અને દુકાનો નહીં ખોલી શકાય. માત્ર જીવનજરૂરી વસ્તુઓની દુકાન ખોલી શકાશે. જોરહાટ ઉપરાંત દિબ્રુગઢ, શિવાસાગર, નગાંવ, નલબારીમાં પણ લોકોની અવર-જવર પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. ગુવાહાટીના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટમાં 28 જૂનથી બે સપ્તાહનું લોકડાઉન નાંખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બે જિલ્લા દિમા હાસો અને વેસ્ટ કરબી એંગલોંગમાં સોમવારથી બુધવારનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ઓડિશાઃ રાજ્યના ગંજામ જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા તમામ શહેરી વિસ્તારો અને પાંચ બ્લોક હેડક્વાર્ટર્સમાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બેરહામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (BeMC), હિનજીલી મ્યુનિસિપાલિટી અને 16 નોટિફાઇડ એરિયા કાઉન્સિલમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. બ્લોક હેડક્વાર્ટર્સમાં શેરાગદા, સાનખેમુંડી, પ્રતાપુર, ધારકોટે અને જગ્ન્નાથ પ્રસાદનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન ડોર ટૂ ડોર હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ દરમિયાન મેડિકલ ફેસિલિટ, ખેતીકામ સાથે સંકળાયેલા લોકોને છૂટ આપવામાં આવશે. જિલ્લામાં મંગળવારે એક દિવસમાં સૌથી વધારે 273 કેસ સામે આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 487 લોકોના મોત થયા છે અને 24,879 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,67,296 પર પહોંચી છે અને 21,129 લોકોના મોત થયા છે. 4,76,378 લોકો સાજા થઈ ગયા છે અને 2,69,789 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Embed widget