શોધખોળ કરો
Advertisement
Covid19: મહારાષ્ટ્રમાં આજે 1202 દર્દીઓને રજા અપાઈ, રિકવરી રેટ 25 ટકાથી વધુ- સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે
મહારાષ્ટ્રમાં આજે 1202 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 25 ટકા કરતા વધારે છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે 1202 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 25 ટકા કરતા વધારે છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, અમે ટૂંક સમયમાં ડૉક્ટરો,નર્સ અને અન્ય ચિકિત્સા કર્મચારીઓ માટે આશરે 17000 પદ પર ભરતી કરશું. અમે તમામ પ્રાઈવેટ હોસ્પિટલોમાં 80 ટકા બેડની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, અમારી પાસે કોવિડ સંક્રમિત દર્દીઓ માટે 15000 બેડ અને આઈસીયૂ માટે 2000 બેડ છે. મહારાષ્ટ્રની 67 લેબોરેટરીમાં દરરોજ લગભગ 15000 કોરોના ટેસ્ટ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં મૃત્યુદર ઘટીને 3.2 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,01139 પર પહોંચી છે. જેમાંથી 58,802 એક્ટિવ છે. 39,173 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 3163 લોકોના મોત થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion