શોધખોળ કરો

News: આ મોટા શહેરમાં ડેન્ગ્યૂ બાદ ટાઇફૉઇડ ફાટી નીકળ્યો, ઘરે-ઘરે દર્દીઓના ખાટલાઓથી સરકાર ચિંતિત, જાહેર કરી એડવાઇઝરી

લોકોને સલાહ આપતા ડૉ.ચારુએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં એવા કેટલાય બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સરળતાથી અસર થઈ શકે છે.

Delhi News: દેશમાં સતત વરસી રહેલા વરસાદ અને પુરના કારણે ઠેર ઠેર રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે, દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘરે ઘરે દર્દીઓના ખાટલા પથરાયા છે. હાલની સ્થિતિ પ્રમાણે, દિલ્હીમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા અને બીજા કેટલાક ચેપી રોગોને લઈને આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. 

જોકે, આ બધાની વચ્ચે હવે દિલ્હીમાં એક નવી બિમારી ટાઇફૉઇડે માજા મુકી છે. હાલમાં દિલ્હીના આરોગ્ય વિભાગ તરફથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયુ છે કે, યમુનાનું જળસ્તર વધ્યા બાદ અને પાણી ભરાયા બાદ દિલ્હીમાં ટાઈફોઈડના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ અસર યુવાનો અને બાળકો પર પડી રહી છે. ડોકટરોનું કહેવું છે કે ડેન્ગ્યૂ-મેલેરિયાની સાથે સાથે ટાઈફૉઈડ અંગે પણ સાવધાની રાખવાની જરૂર છે.

'બહારની ખાણી-પીણીથી રહો દુર'
એબીપી લાઈવ સાથેની વાતચીત દરમિયાન દિલ્હીની જાણીતી મણિપાલ હૉસ્પીટલના એચઓડી ડૉ.ચારુ ગોયલે કહ્યું, 'હૉસ્પીટલમાં આવતા ડેન્ગ્યૂ મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે, પરંતુ આ સમયે સૌથી વધુ ટાઈફૉઈડના દર્દીઓ આવી રહ્યા છે. બાળકો અને યુવાનોમાં તેમની સંખ્યા વધુ જોવા મળી રહી છે. દૂષિત પાણી અને બહારના ખોરાકને કારણે લોકો સરળતાથી ટાઈફોઈડનો શિકાર બની રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો પણ દરેક દર્દીને તેમના આહારથી લઈને સ્વચ્છતા અને મચ્છરોથી બચાવવા માટે દરેક જરૂરી સલાહ આપી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં લોકોએ ડેન્ગ્યૂ મેલેરિયા તેમજ ટાઈફૉઈડથી સાવચેત રહેવાની જરૂર છે. એક અંદાજ મુજબ આ સમયે 20 થી 25 ટકા ટાઈફૉઈડના દર્દીઓ આવી રહ્યા છે.

'આ ઉપાય જરૂર કરો'
લોકોને સલાહ આપતા ડૉ.ચારુએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં એવા કેટલાય બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્યને ખૂબ જ સરળતાથી અસર થઈ શકે છે. આવામાં આસપાસ સ્વચ્છતાની સાથે, તમારા ખોરાકને ખૂબ સંયમિત રાખવાની જરૂર છે. હાલમાં, વ્યક્તિએ ખાસ બહાર રાખેલો ખોરાક ના ખાવો જોઈએ, જો વિસ્તારમાં શુદ્ધ પાણીનો પુરવઠો ના હોય તો માત્ર ઉકાળેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. વધુ તૈલી મસાલાથી બનેલો ખોરાક ના ખાવો, આ ઉપરાંત ડેન્ગ્યૂ મેલેરિયાથી બચવા ચિકનગુનિયા મચ્છર, મચ્છરદાની, આખું શરીર ઢાંકી દે તેવા કપડાં પહેરવા અને પાણી ભરાતા અટકાવવાના ઉપાયો અપનાવવા જોઈએ. તાવ, પેટમાં દુખાવો અને શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યા પર તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget