શોધખોળ કરો
21 સપ્ટેમ્બરથી શાળામાં ક્લાસ શરૂ કરવા માગતી શાળાએ ક્યા આકરા નિયમ પાળવા પડશે ?
સ્કૂલોએ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. દરેક સ્કૂલે ક્લાસ શરૂ કરતાં પહેલાં નીચેના નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. · ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે · વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે. · ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે · શાળા ખોલવામાં આવેે તે અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાના રહેશે. · ક્વોરેન્ટિન સેન્ટર બનાવાયેલી શાળાને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે. · 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળામાં બોલાવી શકાશે. · વિદ્યાર્થીઓ માટે બાયોમીટ્રીક એટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ એટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે. · એક લાઈનમાં જમીન પર 6 ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ વાંચો





















