શોધખોળ કરો

સીએમ યોગી અને યુપી BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની 'પોલ', મંચ પરથી જ કર્યો મોટો દાવો

યુપીના ઉન્નાવથી BJP સાંસદ સાક્ષી મહારાજે સીએમ યોગી આદિત્યનાથ અને યુપી BJP ચીફ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની સામે મોટો દાવો કરી દીધો.

UP Politics: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે પાર્ટી નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી દીધું. ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય એકમના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં કહ્યું કે તેમની સમજ અનુસાર 'સરકાર અને પાર્ટી સંગઠન વચ્ચે કોઈ સન્માનજનક ભાગીદારી નથી.'

પૂર્વ ભાજપ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉન્નાવના સાંસદે કહ્યું, 'મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી. બંને મુખિયા આગળ બેઠા છે, આગળ આનું ધ્યાન રાખશે તો ખૂબ કૃપા થશે.'

સાક્ષી મહારાજની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપના યુપી એકમમાં કથિત રીતે ખટપટના દાવા કરવામાં આવી રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યા કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર અને ભૂપેન્દ્ર ચૌધરીના નેતૃત્વ વાળા રાજ્ય એકમ વચ્ચે સમન્વયની કમી છે.

'રામ મંદિરનો શ્રેય કલ્યાણ સિંહને..'

મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય કલ્યાણ સિંહને આપ્યો. BJP સાંસદે કહ્યું, 'વિવાદિત માળખું ન તૂટ્યું હોત તો આપણે મંદિરની પરિકલ્પના ન કરી શક્યા હોત. અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું છે તેનો શ્રેય કલ્યાણ સિંહજીને આપવા માંગું છું.' તેમણે કહ્યું કે પિતાનો આત્મા પુત્રમાં હોય છે, તેથી તેઓ બંનેનું સન્માન કરે છે અને આશા રાખે છે કે અન્ય લોકો પણ તેમનું સન્માન કરશે.

ઉન્નાવ સાંસદે કલ્યાણ સિંહના સપનાને 'પૂરું કરવા' બદલ સીએમ આદિત્યનાથનો આભાર પણ માન્યો. સાક્ષી મહારાજે કહ્યું   'પછી ભલે માફિયાને ખતમ કરવાની વાત હોય કે કેન્દ્ર સરકારની મદદથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય. કલ્યાણ સિંહનું સપનું પૂરું થઈ રહ્યું છે.'

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)નું રાષ્ટ્રીય અધિવેશન મુંબઈમાં ચાલી રહ્યું છે અને તે આજે ગુરુવારે (22 ઓગસ્ટ) સમાપ્ત થઈ રહ્યું છે. આ સંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી તેમના પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને પક્ષને વધુ આગળ લઈ જવા માટે તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
Embed widget