શોધખોળ કરો

Supreme Court : માત્ર 24 કલાકમાં કેવી રીતે કરી ચૂંટણી કમિશ્નરની નિમણૂંક? સુપ્રીમનો કેન્દ્રને વેધક સવાલ

કોર્ટે કેન્દ્રને વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, આ જગ્યા 15 મેથી ખાલી હતી તો પછી અચાનક 24 કલાકથી પણ ઓછા સમયમાં નામ મોકલવાથી લઈને મંજૂરી સુધીની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ.

Supreme Court: ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં વધુ પારદર્શિતા લાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ફાઇલ જોઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેધક સવાલ પૂછ્યો હતો. કેન્દ્ર સરકારે અરુણ ગોયલની ચૂંટણી કમિશનરના પદ પર નિમણૂકની પ્રક્રિયા સાથે સંબંધિત ફાઇલ બંધારણીય બેંચને સોંપી છે. સરકારે કહ્યું હતું કે, નિમણૂકની મૂળ ફાઇલની નકલો પાંચ જજોને આપવામાં આવી છે. 

કોર્ટે કેન્દ્રને વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, આ જગ્યા 15 મેથી ખાલી હતી તો પછી અચાનક 24 કલાકથી પણ ઓછા સમયમાં નામ મોકલવાથી લઈને મંજૂરી સુધીની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો 15 મેથી 18 નવેમ્બરની વચ્ચે શું થયું?

કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કાયદા મંત્રીએ 4 નામ મોકલ્યા... હવે સવાલ એ પણ છે કે આ જ 4 નામ શા માટે મોકલવામાં આવ્યા? અને તેમાંથી સૌથી જુનિયર અધિકારીને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા? નિવૃત્ત થવા જઈ રહેલા અધિકારીએ આ પદ સ્વિકારતા પહેલા VRS લઈ લીધું. જ્યારે સરકારનો પક્ષ રજુ કરી રહેલા એટર્ની જનરલે કહ્યું હતું કે, આખી પ્રક્રિયામાં કંઈ ખોટું થયું નથી. અગાઉ પણ 12 થી 24 કલાકમાં નિમણૂંકો કરવામાં આવી છે.

'અમે માત્ર પ્રક્રિયાને સમજવા માંગીએ છીએ'

ન્યાયાધીશ એટર્ની જનરલના જવાબ સાથે અસંમત દેખાયા. તેમણે આગળ કહ્યું હતું કે, અમે માત્ર પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવું ન વિચારો કે અદાલતે તમારી વિરુદ્ધ મન બનાવી લીધું છે. હજી પણ જે લોકોની પસંદગી કરવામાં આવી રહી છે તેઓ 6 વર્ષ સુધી CECના પદ પર રહી શકતા નથી. જેના પર એટર્ની જનરલે કહ્યું હતું કે, નામ લેતી વખતે વરિષ્ઠતા, નિવૃત્તિ, ઉંમર વગેરેને જોવામાં આવે છે. આ માટે આખી વ્યવસ્થા છે. આ કંઈ એમ જ નથી થઈ જતું. સલાવ એ છે કે શું કાર્યપાલિકાની નાની વસ્તુઓની પણ સમીક્ષા અહીં થશે?

ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામસામે છે. અરુણ ગોયલની નિમણૂને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી કેન્દ્રને વેધક સવાલ કર્યા હતાં. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન બેન્ચે નિમણૂકની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ અજય રસ્તોગીએ આટલી ઝડપી ફાઈલ આગળ વધારવા અને આટલી ઝડપથી નિમણૂંકો કરવા પર સવાલો પૂછ્યા હતાં. તેમણે સવાલ કર્યો હતો કે, 24 કલાકમાં તપાસ કેવી રીતે કરી નાખવામાં આવી? જેના પર એટર્ની જનરલે કહ્યું હતું કે, તેઓ દરેક વાતનો જવાબ આપશે પરંતુ કોર્ટ તેમને બોલવાની તક તો આપે. આ દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, કાયદા અને ન્યાય મંત્રાલય પોતે સંભવિત ઉમેદવારોની યાદી બનાવે છે, તોપછી તેમાંથી સૌથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જેમાં વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે. 

જો કોઈ ખામી હોય તો તેમાં સુધારો કરવો હિતાવહ છે

જસ્ટિસ કેએમ જોસેફ બાદ અજય રસ્તોગીએ પણ ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તમે તેની તુલના ન્યાયતંત્ર સાથે કરી છે. ન્યાયતંત્રમાં પણ નિમણૂક પ્રક્રિયામાં ફેરફારો થયા હતા. જો પ્રવર્તમાન પ્રણાલીમાં ખામી હોય તો તેમાં સુધારો અને બદલાવ આવવાનો જ છે. જે સરકાર ન્યાયાધીશો અને સીજેઆઈની નિમણૂક કરતી હતી તે પણ મહાન ન્યાયાધીશો બની ગઈ. પરંતુ પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિહ્નો હતા. પ્રક્રિયા બદલાઈ ગઈ છે.

સુનાવણી શરૂ થયાના ત્રણ દિવસમાં નિમણૂક? 

સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશ્નર પદે થયેલી પસંદગી સંબંધિત મૂળ ફાઇલને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, તે જાણવા માંગે છે કે તેમની નિમણૂકમાં કોઈ ગોલમાલ તો નથી થઈ ને? મતલબ કે આ નિમણૂકમાં કોઈ ગરબડ થઈ નથી ને. કોર્ટે ગત સુનાવણીમાં પણ ટિપ્પણી કરી હતી કે, સુનાવણી શરૂ થયાના માત્ર ત્રણ જ દિવસમાં નિમણૂક કરે દેવામાં આવી હતી. નિમણૂક પ્રક્રિયા સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કર્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે.

બેન્ચે કહ્યું હતું કે, અમે માત્ર એ જાણવા માંગીએ છીએ કે નિમણૂક માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી? જો આ નિમણૂક કાયદાકીય રીતે સાચી હોય તો ગભરાવાની જરૂર શું છે? કોર્ટમાં સુનાવણી દરમિયાન આ નિમણૂક ના થઈ હોત તો યોગ્ય હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget