શોધખોળ કરો

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

સ્ટીલ પ્લાન્ટમાં ગરમ લોખંડ ભરેલા લાડુમાં વિસ્ફોટ થતાં 8 મજૂરો ભડથું, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બચાવ કામગીરી ઝડપી બનાવવા આપ્યા આદેશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં ગરમ લોખંડ લાડુ વિસ્ફોટથી આઠનાં મોત.
  • ઘટના બાદ અફરાતફરી, ઘણા ઘાયલ; બચાવ કાર્યના આદેશ.
  • મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ ઘાયલોને સારવાર, ઘટનાની તપાસના આદેશ.

Visakhapatnam steel plant accident: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં ઊંચા તાપમાને પીગળેલા ગરમ લોખંડ (સ્ટીલ) થી ભરેલા લાડુમાં અચાનક વિસ્ફોટ થતાં 8 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવાના આદેશ જારી કર્યા છે, સાથે જ ઘાયલોને ઉત્તમ સારવાર પૂરી પાડવા સૂચના આપી છે.

અફરાતફરીનો માહોલ અને જીવ બચાવવા દોડાદોડી

મળતી માહિતી મુજબ, સ્ટીલ પ્લાન્ટમાં અચાનક ગરમ સ્ટીલ ભરેલા લાડુમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પીગળેલું સ્ટીલ લીક થઈને કામદારો પર પડ્યું હતું. આ ઘટના બનતા જ પ્લાન્ટમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. જીવ બચાવવા માટે કામદારો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટના અન્ય કર્મચારીઓ અને ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સરકાર એક્શનમાં: રાહત કામગીરી ઝડપી બનાવવા આદેશ

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથાએ તાત્કાલિક જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને ઘાયલો માટે શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા કરવા અને રાહત કામગીરીમાં ઝડપ લાવવા કડક સૂચના આપી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી જાતે જ અકસ્માત સ્થળની મુલાકાતે દોડી ગયા હતા.

બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પણ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સ્થળ પરના અધિકારીઓ સાથે સીધી વાત કરીને તમામ સરકારી વિભાગોને સંકલન સાધીને બચાવ કામગીરી ઝડપથી અને યોગ્ય રીતે પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

મજૂર સંઘની પ્રતિક્રિયા અને તપાસની માંગ

આ દુર્ઘટના અંગે મજૂર સંઘના નેતા એન. અયોધ્યારામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમને પ્રાથમિક ધોરણે શંકા છે કે આગ કોઈ મોટા વિસ્ફોટને કારણે જ લાગી છે, પરંતુ તેનું સાચું કારણ જાણવા માટે ઊંડી તપાસ થવી જરૂરી છે." જોકે, ભોગ બનનારા 8 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા કે પછી પ્લાન્ટના કાયમી કર્મચારીઓ હતા, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

Frequently Asked Questions

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં કઈ દુર્ઘટના બની?

પ્લાન્ટમાં ઊંચા તાપમાને પીગળેલા ગરમ લોખંડથી ભરેલા લાડુમાં વિસ્ફોટ થયો, જેના કારણે 8 કામદારોના મોત થયા અને ઘણા ઘાયલ થયા.

આ દુર્ઘટનામાં કેટલા કામદારોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ હૃદયદ્રાવક અકસ્માતમાં 8 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટના પછી શું પગલાં લેવામાં આવ્યા?

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બચાવ-રાહત કામગીરી ઝડપી બનાવવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા. ગૃહમંત્રીએ સ્થળની મુલાકાત પણ લીધી.

આ દુર્ઘટનાનું પ્રાથમિક કારણ શું હતું?

પીગળેલા સ્ટીલ ભરેલા લાડુમાં અચાનક વિસ્ફોટ થતાં ગરમ સ્ટીલ લીક થઈને કામદારો પર પડ્યું. મજૂર સંઘે મોટા વિસ્ફોટની શંકા વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget