શોધખોળ કરો

દિલ્લીમાં લોકડાઉન લાદવા કેજરીવાલની ચિમકી, લોકો શું કરે તો નહીં લાદે લોકડાઉન?

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દિલ્લીમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે દિલ્લીમાં લોકડાઉનના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે.

નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દિલ્લીમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે દિલ્લીમાં લોકડાઉનના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તમે જો માસ્ક પહેરશો તો અમે લોકડાઉન નહીં લગાવીએ. અમારો ઇરાદો જરા પણ લોકડાઉન લગાવવાનો નથી.

કેજરીવાલે ઉમેર્યું કે, કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજના હેલ્થ બુલેટિનમાં આશરે 22,000 કેસોની અપેક્ષા છે. સંબંધિત કેસ વધી રહ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી. છેલ્લી લહેરના ડેટાનું વિશ્લેષણ (સરખામણી) કર્યા પછી હું આમ કહી રહ્યો છું.

 

દેશના આ રાજ્યમાં 55 કલાકના ‘લોકડાઉન’નો પ્રારંભ, હવે લોકો સોમવારે સવારે જ બહાર નિકળી શકશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વીક-એન્ડ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાતથી લાગુ કરાયેલો આ કરફ્યુ સોમવારે સવાર સુધી અમલી રહેશે. આ સમય દરમિયાન લગાવાયેલાં કડક નિયંત્રણોના કારણે લોકો તેને 55 કલાકનું લોકડાઉન જ ગણાવી રહ્યા છે.

કરફ્યુના 55 કલાક માટે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ અઠવાડિયે મંગળવારે વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. બહાર નીકળનારાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ઈ-પાસ અથવા માન્ય ઓળખ કાર્ડ રજૂ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, બજારો, રસ્તા, કોલોનીઝ અને બીજા સાર્વજનિક સ્થળો પર કડક દેખરેખ રહેશે.  જો જરૂર પડશે તો એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની સંખ્યા પણ વધારવામાં આવશે. કોઈને અગત્યના કામ માટે બહાર જવાનું હોય અને મુક્તિ આપવામાં આવેલ કેટેગરીમાં ન આવે તો તેણે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ ઈ-પાસ લેવો પડશે.

દિલ્હી સરકારે કરફ્યુના કડક અમલ માટે પૂરતી વ્યવસ્થાનો દાવો પણ કર્યો છેરે અધિકારીઓએ જણાવ્યું હતું કે,  આ સમય દરમિયાન કોઈ ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરવા જઈ રહ્યુ હોય તો તેમની પાસે ટિકિટ હોવી આવશ્યક છે. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં કરફ્યુનો અમલ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય.

કરફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓમાં છૂટ આપવામાં આવી છે. ન્યાયાધીશો, ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ, પત્રકારો અને વકીલોને પણ માન્ય ઓળખ પત્ર, સેવા આઈડી કાર્ડ, ફોટો પ્રવેશ પાસ અને અદાલત પ્રશાસન દ્વારા જારી મંજૂરી પત્ર બતાવ્યા બાદ યાત્રા કરવાની પરવાનગી મળશે. બીઆ સિવાય  ખાનગી તબીબી કર્મચારીઓ જેમ કે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ અને હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ક્લિનિક્સ, ફાર્મસીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને માન્ય ઓળખ કાર્ડ બતાવીને તબીબી ઓક્સિજન સપ્લાયરો જઈ શકશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Embed widget