શોધખોળ કરો

Why PFI Banned: બોમ્બ બનાવવાથી લઇને આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ, જાણો PFI પર પ્રતિબંધ લગાવવા પાછળના સાત મોટા કારણો

28 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરી હતી

Ban On PFI In India: 28 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરી હતી. આજે આ સંગઠનને ભારતમાં આવતા પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ PFI પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

એક નોટિફિકેશનમાં સરકારે કહ્યું હતું કે પીએફઆઈના મોટા ભાગના ટોચના નેતૃત્વ અગાઉ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)નો ભાગ હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે PFIના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સાથે પણ સંબંધ છે.

દેશના બંધારણનું પાલન નથી કરતું

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ મૂકવાનું સૌથી મોટું કારણ ભારતના બંધારણનું પાલન ન કરવાનું છે. કેન્દ્ર સરકારે PFI પર પ્રતિબંધ લગાવતા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, "PFI અને તેના સહયોગી મોરચા દેશમાં આતંકનું શાસન બનાવવાના હેતુથી હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે છે. રાજ્યના બંધારણીય અધિકારો અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે અને તેથી સંસ્થા સામે તાત્કાલિક અને ત્વરિત પગલાંની જરૂર છે."

કૉલેજના પ્રોફેસરના હાથ કાપવા જેવા ગુનાહિત કૃત્યો

પીએફઆઈ વિવિધ ગુનાહિત અને આતંકવાદી કેસોમાં સંડોવાયેલ છે. તે દેશની બંધારણીય સત્તાનો અનાદર કરે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએફઆઈ અને તેના સંગઠનો હિંસક ગતિવિધિઓમાં સામેલ છે. જેમાં કોલેજના પ્રોફેસરનો હાથ કાપી નાખવો, અન્ય ધર્મનું પાલન કરતા લોકોની નિર્દયતાથી હત્યા, બોમ્બ વિસ્ફોટનું કાવતરું અને જાહેર સંપત્તિને નુકસાનનો સમાવેશ થાય છે.

આતંકવાદી કૃત્યોમાં સંડોવણી

ઉત્તરથી દક્ષિણ ભારતમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે સૌથી પહેલા PFIનું નામ સામે આવતું હતું. દિલ્હીમાં CAA વિરોધ, શાહીન બાગ હિંસા, જહાંગીરપુરી હિંસાથી લઈને તાજેતરના મહિનામાં થયેલી કાનપુર હિંસા સુધી, રાજસ્થાનની કરૌલી હિંસા, મધ્ય પ્રદેશના ખરગૌનમાં હિંસા અને બેંગલુરુમાં હિંસા તેમજ ભાજપ નેતાની હત્યા સહિત દેશભરમાં અનેક હિંસાઓ અને હત્યામાં આ વિવાદાસ્પદ સંગઠનનું નામ સામે આવ્યું છે.

PFI કાર્યકરો પર અલ કાયદા અને તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનો પણ આરોપ છે. જો કે, પીએફઆઈ પોતાને દલિતો અને મુસ્લિમોના હકમાં લડતી સંસ્થા હોવાનો દાવો કરે છે. વર્ષ 2010માં આ સંગઠન પર સિમી સાથે કનેક્શન હોવાના આરોપો લાગ્યા હતા.

ISIS જેવા વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં રહે છે

મંગળવારે રાત્રે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે PFIના કેટલાક સ્થાપક સભ્યો પ્રતિબંધિત સંગઠન સિમીના નેતાઓ છે. એવું કહેવામાં આવ્યું હતું કે PFIના જમાત-ઉલ-મુજાહિદ્દીન પણ બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે PFI ને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે પણ સંબંધ છે.

IED બનાવવાની શોર્ટ કટ પદ્ધતિના દસ્તાવેજો જપ્ત કરાયા

NIAએ PFIના ઘણા સ્થળો પર સતત દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન તપાસ એજન્સીઓને ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. તમિલનાડુના રામનાડ જિલ્લામાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI)ના જિલ્લા પ્રમુખ બરાકતુલ્લાના ઘરેથી બે લોવરેન્સ LHR-80 મળી આવ્યા હતા. આ સિવાય એજન્સીઓને આઈઈડી બનાવવાના દસ્તાવેજો પણ મળ્યા છે. IED કેવી રીતે બનાવવું તેના પર શોર્ટ કોર્સ છે.

વ્યાપક પ્રમાણમાં રોકડ જપ્ત

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રવિવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક જિલ્લાઓમાં ટેરર ​​ફંડિંગ અને સંબંધિત પ્રવૃત્તિઓના સંબંધમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ ડિજિટલ ગેજેટ્સ, દસ્તાવેજો, બે ખંજર અને રૂ. 8,31,500 રિકવર કર્યા હતા. PFI સાથે જોડાયેલા ચાર લોકોની પણ અહીંથી ધરપકડ કરવામાં આવી હતી.

વાંધાજનક વસ્તુઓ મળી આવી

મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા શુક્રવારે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસે વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. એટીએસના દાવા મુજબ, આરોપી પાસેથી જપ્ત કરાયેલ 'ઈન્ડિયા 2047' નામના દસ્તાવેજમાં 2047 સુધીમાં ઈસ્લામિક કાયદાઓ દ્વારા દેશમાં શાસન કરવાના મોટા લક્ષ્ય તરફ કામ કરવાની વાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Embed widget