શોધખોળ કરો

Wrestlers Protest: 'ફેસલો કરવામાં આવશે તો દેશ માટે સારું નહીં થાય', આજે યોજાનારી મહાપંચાયત પહેલા કુસ્તીબાજોએ આપી ચેતવણી

Wrestlers Protest: દિલ્હીના જંતર-મંતર ખાતે WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધને એક મહિનો પૂરો થવા પર 23 મેના રોજ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ દરમિયાન કુસ્તીબાજોએ મોટી ચેતવણી આપી છે.

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. વિરોધની વધુ રૂપરેખા તૈયાર કરવા માટે હરિયાણામાં રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાવા જઈ રહી છે. આ બધાની વચ્ચે મહિલા રેસલર વિનેશ ફોગાટે પણ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જે દેશ માટે સારો નહી હોય. 

કુસ્તીબાજોના સમર્થનમાં આવેલી ખાપ પંચાયતોએ કેન્દ્ર સરકારને 21 મે સુધીનો સમયગાળો આપ્યો હતો. આ સમયમર્યાદા રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. જેના કારણે આજે હરિયાણામાં ખાપની મહાપંચાયત યોજાવાની છે. આ પહેલા શનિવારે (20 મે) વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય.

'નિર્ણયથી દેશને નુકસાન થઈ શકે છે'

વિનેશે કહ્યું કે અમારા વડીલોએ લીધેલો નિર્ણય મોટો હોઈ શકે છે, જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.

કુસ્તીબાજોનું કહેવું છે કે આ સરળ લડાઈ નથી અને અમારે ઘણું સહન કરવું પડ્યું છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જે મુદ્દો એક મિનિટમાં ઉકેલી શકાતો હોત જે એક મહિના પછી પણ ઉકેલાયો નથી.

રેસલર્સનો આરોપ - મેચ જોવાની મંજૂરી નથી

આ દરમિયાન કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમને શનિવારે દિલ્હીમાં યોજાનારી IPL મેચ જોવાથી રોક્યા હતા. જેના પર દિલ્હી પોલીસે કહ્યું કે માન્ય ટિકિટ ધરાવતા કોઈ પણ કુસ્તીબાજને અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL મેચ જોવાથી રોકવામાં આવ્યા નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 10 થી 12 કુસ્તીબાજો અને અન્ય લોકો મેચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર પાંચની જ ટિકિટ હતી. અધિકારીએ કહ્યું કે ટિકિટ કે 'પાસ' વગરના લોકોને પ્રવેશની મંજૂરી નથી.

 

આ પણ વાંચો: Wrestlers Protest: ચેતવણી બાદ કુસ્તીબાજો હવે નિકાળશે કેન્ડલ માર્ચ! સાક્ષી મલિકે ખાપ પંચાયતને કરી અપીલ

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. હવે કુસ્તીબાજોએ 23મી મેના રોજ હડતાળને એક મહિનો પૂરો થવા પર ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

23 મેના રોજ કુસ્તીબાજોના પ્રદર્શનને એક મહિનો પૂરો 

જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના પ્રતિનિધિ તરીકે સાક્ષી મલિક મહેમના ચૌબીસી ચબૂતરામાં આયોજિત ખાપ પંચાયતમાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વિરોધને 29 દિવસ થઈ ગયા છે. તેમ છતાં કોઈ સુનાવણી થઈ નથી.

સાક્ષી મલિક પહોંચી ખાપ પંચાયત 

વિરોધની આગળની રૂપરેખા તૈયાર કરવા માટે રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાઈ રહી છે. સાક્ષી મલિક સાથે તેના પતિ અને કુસ્તીબાજ સત્યવ્રત કડિયાન પણ આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા. ખાપ પંચાયતમાં પણ વધુ મહિલાઓ પહોંચી રહી છે. ખાપ સામે પોતાની વાત રાખતા સાક્ષીએ કહ્યું કે તેને ખાસ સપોર્ટની જરૂર છે. એક મહિના જેટલો સમય થવા આવ્યો છે અને હજુ સુધી ન્યાય મળ્યો નથી.

સાક્ષી મલિકે શું કહ્યું?

સાક્ષીએ માંગ કરી હતી કે બ્રિજભૂષણ શરણ સિંહને ફેડરેશનમાંથી હાંકી કાઢવામાં આવે. તે ખેલાડીઓના મેડલની કિંમત 15 રૂપિયા હોવાનું જણાવી રહ્યો છે. તેમના આવા નિવેદનો તેમની માનસિકતા પર સવાલ ઉભા કરે છે. સાક્ષીએ કહ્યું કે ખાપ પંચાયતના તમામ લોકોએ આવવું જોઈએ અને કેન્ડલ માર્ચમાં અમારું સમર્થન કરવું જોઈએ. તેણે કહ્યું કે ખેલાડીઓએ આ યુદ્ધ શાંતિથી લડવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચેતવણી આપી હતી

વિનેશ ફોગાટે આપી હતી ચેતવણી

આ પહેલા શનિવારે વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget