શોધખોળ કરો

Year Ender 2022: આ વર્ષે દેશની આ જાણીતી હસ્તીઓએ દુનિયામાંથી લીધી વિદાય, જાણો તેમના વિશે

આ વર્ષે દેશની કેટલીક પ્રખ્યાત હસ્તીઓએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે

Year ender 2022: નવું વર્ષ શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો આવતા વર્ષને વધુ સારું બનાવવામાં વ્યસ્ત છે. જ્યારે ઘણા લોકો ગયા વર્ષની સુંદર ક્ષણોને યાદ કરી રહ્યા છે. અલબત્ત, 2022 દરેક માટે ઘણી રીતે ખાસ રહ્યું છે, પરંતુ આ વર્ષે દેશની કેટલીક પ્રખ્યાત હસ્તીઓએ પણ દુનિયાને  અલવિદા કહી દીધું છે. વર્ષ 2022માં દેશની ઘણી મહાન હસ્તીઓએ દુનિયાને અલવિદા કરી હતી.

શાંતિ દેવી, સામાજિક કાર્યકર

પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાંતિ દેવીનું 16 જાન્યુઆરીએ ઓડિશાના રાયગડા જિલ્લામાં નિધન થયું હતું. છાતીમાં દુખાવાને કારણે શાંતિ દેવીનું મૃત્યુ થયું હતું. 88 વર્ષીય શાંતિ દેવીએ આદિવાસી છોકરીઓ અને મહિલાઓના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાંતિ દેવીએ આદિવાસી છોકરીઓને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત શાંતિ દેવીને જમુનાલાલ બજાજ એવોર્ડ અને રાધાનાથ રથ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પંડિત બિરજુ મહારાજ, કથક નૃત્યાંગના

કથકની દુનિયામાં નામના મેળવનાર પ્રખ્યાત કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. પંડિત બિરજુ મહારાજે 17 જાન્યુઆરીની સવારે તેમના દિલ્હી નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કથકમાં બિરજુ મહારાજના અમૂલ્ય યોગદાનને કારણે તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. પંડિત બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજીરાવ મસ્તાની જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં ડાન્સ કોરિયોગ્રાફર તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ 2012 માં પંડિત બિરજુ મહારાજને તેમની નૃત્ય કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ઇલા ભટ્ટ, સામાજિક કાર્યકર

ઈલા ભટ્ટનું 89 વર્ષની વયે 2 નવેમ્બરના રોજ અમદાવાદ, ગુજરાતમાં અવસાન થયું હતું. એક સામાજિક કાર્યકર તરીકે ઇલા ભટ્ટે મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈલા ભટ્ટે 1972માં ગરીબ સ્વ-રોજગારી મહિલાઓ માટે 'સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન'ની સ્થાપના કરી, જે 2 લાખથી વધુ સભ્યો સાથે 1995માં ભારતનું સૌથી મોટું સિંગલ એસોસિએશન બન્યું. એક સામાજિક કાર્યકર તરીકે ઇલા ભટ્ટની સિદ્ધિઓ માટે તેમને પદ્મ વિભૂષણ અને રોમન મેજેસ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા, રોકાણકાર

શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. 62 વર્ષીય રાકેશ ઝુનઝુનવાલાનું નામ દેશના પ્રખ્યાત રોકાણકારોમાં ગણવામાં આવે છે. ઝુનઝુનવાલાને શેરબજાર વિશે ઘણી જાણકારી હોવાને કારણે ભારતના વોરન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાકેશ ઝુનઝુનવાલા સ્ટોક ટ્રેડિંગ ફર્મ અને અકાસા એરના માલિક પણ હતા. ઝુનઝુનવાલાની અકાસા એર લાઈને આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી.

લતા મંગેશકર, ગાયિકા

ભારતીય સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું પણ 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. 92 વર્ષીય લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. આ સાથે જ છ દાયકાથી વધુ સમય સુધી હિન્દી ફિલ્મોમાં પોતાના સંગીતનો જાદુ ફેલાવનાર લતાને દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. લતા મંગેશકરે 20 ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget