તમારું આયુષ્યમાન કાર્ડ એક્ટિવ છે ? આધાર નંબરથી પણ આ રીતે ચેક કરી શકો છો ડિટેલ્સ
Ayushman Card Details: ભારત સરકાર આ લોકોને વીમો આપે છે. આ માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી

Ayushman Card Details: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. મોટાભાગની સરકારી યોજનાઓ ભારતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અને તેને ઠીક રાખવા માટે લોકો ઘણી રીતો અજમાવતા હોય છે. ઘણા લોકો અનિચ્છનીય તબીબી ખર્ચાઓ ટાળવા અને મોંઘી સારવારના બોજથી પોતાને બચાવવા માટે સ્વાસ્થ્ય વીમો લે છે. પરંતુ દરેક પાસે સ્વાસ્થ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી હોતા.
પરંતુ ભારત સરકાર આ લોકોને વીમો આપે છે. આ માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ભારત સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે. આયુષ્માન કાર્ડ બતાવીને યોજના હેઠળ નોંધાયેલી કોઈપણ સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે. તમે આધાર કાર્ડ દ્વારા આયુષ્માન કાર્ડની વિગતો પણ ચકાસી શકો છો, ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે.
આધાર કાર્ડથી આ રીતે ચેક કરો આયુષ્યમાન કાર્ડ ડિટેલ્સ
જો તમારું આયુષ્માન કાર્ડ બની ગયું છે. તો તમે આધાર કાર્ડમાંથી પણ આયુષ્માન કાર્ડની વિગતો ચકાસી શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની આ લિંક beneficiary.nha.gov.in પર જવું પડશે. આ પછી તમને આયુષ્માન કાર્ડની વિગતો ચેક કરવાનો વિકલ્પ મળશે. જ્યાં તમારે આધાર કાર્ડ નંબર નાખવો પડશે. આ પછી તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. આ પછી OTP એન્ટર કરવાનો રહેશે. પછી તમારે કેપ્ચા કૉડ દાખલ કરવો પડશે અને લૉગિન પર ક્લિક કરવું પડશે.
આ પછી એક નવું પેજ ખુલશે, તમારે ત્યાં જરૂરી માહિતી દાખલ કરવી પડશે. જેમાં સર્ચ બાય ઓપ્શનમાં રાજ્ય, જિલ્લા, યોજનાનું નામ અને આધાર નંબરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તે પછી તમારે નીચે આપેલા બૉક્સમાં તમારો આધાર નંબર નાખવો પડશે. આ પછી તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આધાર નંબર દાખલ કર્યા પછી આયુષ્માન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી તમારી સામે આવશે.
આ લોકોનું બને છે આયુષ્યમાન કાર્ડ
ભારત સરકારે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે. જેમના પરિવારમાં વિકલાંગ વ્યક્તિ છે. આ ઉપરાંત જે લોકો રોજિંદા મજૂરી કામ કરે છે, જેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અથવા જે લોકો આદિવાસી છે અથવા જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો
એક વર્ષ સુધી આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરવામાં ન આવે તો શું તે એક્સપાયર થઈ જશે? જાણો આ સવાલનો જવાબ



















