શોધખોળ કરો

Fighter Jet Crash: જામનગરમાં એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલટનું મોત

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ઘાયલ પાયલટને શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

Jamnagar Fighter Jet Crash: ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેના સ્ટેશન નજીક બુધવારે (2 એપ્રિલ) રાત્રે એરફોર્સનું એક જગુઆર ફાઇટર પ્લેન એક ગામમાં ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. આ દરમિયાન એક પાયલટ સુરક્ષિત બહાર નીકળી ગયો પરંતુ બીજા પાયલટનું મોત નીપજ્યું હતું. એક પાયલટ ગઈ રાતથી ગુમ હતો અને તેને શોધવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. ક્રેશ થયા બાદ દૂર-દૂર સુધી પ્લેનનો કાટમાળ વિખેરાયો હતો. ફાઈટર પ્લેન ક્રેશ થવાનું કારણ અકબંધ છે.

ઈન્ડિયન એરફોર્સ દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક પાયલટ સુરક્ષિત છે જ્યારે બીજા પાયલટનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે જામનગર શહેરથી લગભગ 12 કિમી દૂર સુવરદા ગામમાં એક ખુલ્લા મેદાનમાં રાત્રે લગભગ 9: 30 વાગ્યે ફાઇટર પ્લેન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ હતી. વિમાન દુર્ઘટનાના કારણો પણ જાણી શકાયા નથી.

પોલીસ અધિક્ષક ડેલુએ જણાવ્યું હતું કે, "દુર્ઘટના પહેલા એક પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો જ્યારે બીજો હજુ પણ ગુમ છે." ક્રેશ થયા બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અને ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને ગુમ થયેલા પાયલટની શોધ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ઘાયલ પાયલટને શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

આ ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન ઠક્કર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે અકસ્માતને કારણે ખુલ્લા મેદાનમાં લાગેલી આગ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બુઝાવવામાં આવી હતી. ડીએમ કેતન ઠક્કરે જણાવ્યું, "અમે ઘાયલ પાયલટને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું, પરંતુ કોઈ નાગરિકની જાનહાનિ થઈ નથી."

એક મહિનામાં બીજી જગુઆર દુર્ઘટના

7 માર્ચના રોજ ભારતીય વાયુસેનાનું ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઈક એરક્રાફ્ટ જગુઆર અંબાલામાં ક્રેશ થયું હતું. આ વિમાન અંબાલા એર બેઝથી તેની નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમય પછી પંચકુલા નજીક ફાઇટર ક્રેશ થયું હતું. જગુઆર ફાઇટર વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ભારતીય વાયુસેના પાસે જગુઆર ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઈક ફાઈટરના 6 સ્ક્વોડ્રન છે. આ વિમાનને અપગ્રેડ કરવાનું કામ ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget