શોધખોળ કરો
જામનગરઃ એપાર્ટમેન્ટમાં આગ લાગતા 2 લોકોના મોત, હત્યા કે આત્મહત્યા પોલીસ માટે તપાસનો વિષય

જામનગરઃ સત્યમ કોલોનીમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા બે લોકોના મોત થયા હતા. સરકારી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રેખાબેન ઝાલા નિવૃત પોલીસ કર્મચારીની પુત્રી છે. જે જયેંદ્રસિંહ રાઠોડ સાથે મૈત્રી કરાર કરી થોડા સમયથી પરિવાર એપાર્ટમેન્ટમા રહેવા આવ્યા હતા. મંગળવારે એકાએક આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ કાબુમા લઇને ફ્લેટની અંદર તપાસ કર્તા રેખાબેનની સળગી ગયેલી હાલતમા લાસ મળી આવી હતી. જયારે તેમનાં જ થોડા અંતરે જયેંદ્રસિંહની પણ લાસ મળી આવી હતી. પોલીસે આ બનાવ હત્યાનો છે આત્મ હત્યાનો કે પછી આકસ્મિક છે તેં અંગે તપાસ હાથ ધરી છે. FSLની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
Before You Go
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી





















