શોધખોળ કરો

Jamnagar: રુપાલાના વિરોધ વચ્ચે જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર, PM મોદીને લઈ કહી આ મોટી વાત

Jamnagar:રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામસાહેબે વધુ એક પત્ર લખ્યો હતો.

Jamnagar:રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામસાહેબે વધુ એક પત્ર લખ્યો હતો. જામસાહેબના પત્રમાં રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને સમાજના ધર્મગુરૂઓની સામે રૂપાલા માફી માંગે તેમ જણાવ્યું હતું.


Jamnagar: રુપાલાના વિરોધ વચ્ચે જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર, PM મોદીને લઈ કહી આ મોટી વાત

એટલુ જ નહી પોતાના પત્રમાં જામસાહેબ બે વખત માફી માંગી એટલુ પુરતુ નથી તેમ લખીને સમાજ પણ ક્ષમા વિરસ્ય ભુષણમના ધર્મને યાદ કરીને માફી આપે તેવી અપીલ કરી હતી. જામસાહેબે પોતાના પત્રમાં એમ પણ લખ્યું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. મોદીજીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. મોદીજીએ ધર્મ સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે.

પત્રમાં જામસાહેબે કહ્યું હતું કે રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો સામે માફી માંગે. તેમણે બે વખત માફી માંગી એટલુ પુરતુ નથી. સમાજ પણ 'ક્ષમા વિરસ્ય ભુષણમ'ના યાદ કરી માફી આપે. આ ચૂંટણી મોદીને ત્રીજીવાર PM બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે.

‘માફી શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી’

ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જામસાહેબ અમારા આદરણિય છે. સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરીશું. આખરી નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાશે.  રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણીદેવીએ કહ્યું હતું કે માફી શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. જામસાહેબ અને અમારી વિચારધારા અલગ છે. રૂપાલાને માફી ક્યારેય નહીં. ક્ષત્રિય સમાજની એકતા યોગ્ય છે.

તો જામ સાહેબે લખેલા પત્ર અંગે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની પ્રતિક્રિયા આવી છે. સંકલન સમિતિના રમજુભા જાડેજાએ કહ્યુ કે સમાજના આગેવાનો જામસાહેબના પત્ર અંગે સંકલન સમિતિમાં ચર્ચા કરશે અને બાદમાં જામ સાહેબને મળવાનો પ્રયાસ કરશે.

ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે મહાસંમેલન યોજશે

રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે રાજકોટમાં એક મહાસંમેલન યોજશે. રતનપર નજીક આવેલા રામ મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. એટલુ જ નહીં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય રમજુભાએ સ્પષ્ટ વાત કરી કે આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
Embed widget