શોધખોળ કરો

Jamnagar: રૂપાલાના વિવાદિત નિવેદન પર જામનગર રાજવી પરિવારે પ્રેસ રીલીઝ કરી નિવેદન જાહેર કર્યું

રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત  પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે.

જામનગર: રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત  પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે.  તેમણે લખ્યું છે કે,  આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.

જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, જૌહર નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી. 

હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે-સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. 

તો એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવુ કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરુપ સજા. 



Jamnagar: રૂપાલાના વિવાદિત નિવેદન પર જામનગર રાજવી પરિવારે પ્રેસ રીલીઝ કરી નિવેદન જાહેર કર્યું

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું

રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.

શું છે વિવાદ 

રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ રજવાડાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ છે.  કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે,   મહારાજાઓએ નમીને રોટી-બેટીના  વ્યવહાર કર્યા. આ નિવેદનનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિવેદનને લઈ વિરોધ થતા પરશોત્તમ રુપાલાએ દિલગીરી  વ્યક્ત કરી હતી અને  ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
Embed widget