શોધખોળ કરો

Lok sabha Election 2024 Live: વિવાદ અને વિરોધની વચ્ચે સુરત સ્નેહમિલનમાં પરૂષોત્તમ રૂપાલાનું સન્માન

એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. અહીં જાણો ચૂંટણી સંબંધિત તમામ અપડેટ,

LIVE

Key Events
Lok sabha Election 2024 Live: વિવાદ અને વિરોધની વચ્ચે સુરત સ્નેહમિલનમાં પરૂષોત્તમ રૂપાલાનું સન્માન

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.                                                    


બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.


17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
 

15:18 PM (IST)  •  07 Apr 2024

સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

 ક્ષત્રિય સમાજનું વિરોઘ પ્રદ્શન યથાવત છે. સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં  નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોતમ રૂપાલો  વિરોધ કર્યો હતો. સ્નેહમિલનમાં ચોટીલાના ધારાસભ્ય પણ  હાજર રહ્યાં હતા.

12:46 PM (IST)  •  07 Apr 2024

વિવાદની વચ્ચે સુરત સ્નેહ સંમેલનમાં પરષોતમ રૂપાલાનું સન્માન

વિવાદની વચ્ચેચ રાજકોટ   ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું આજે  સુરતમાં પાટીદારના સ્નેહ મિલનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ સભામાં  પરશોત્તમ રૂપાલા સાથે ડો.ભરત બોઘરા પણ ઉપસ્થિત હતા.પરશોત્તમ રૂપાલાએ સુરતમાં ઉમિયાધામના  દર્શન કર્યાં હતા. વિવાદ અને વિરોધની વચ્ચે પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનમાં તેમનું સ્વાગત કર્યું હતું. ગોપીન ગામમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકોએ કર્યુ રૂપાલાનું સન્માન કર્યું હતું. 

12:38 PM (IST)  •  07 Apr 2024

Lok Sabha Elections 2024: બિહારમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર

Lok Sabha Elections 2024: ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલીઓ યોજીને જનતાને સંબોધિત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે વોટ માંગી રહ્યા છે. આ ક્રમમાં આજે રવિવારે (07 એપ્રિલ) પીએમ મોદીએ બિહારના નવાદાથી પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, મોદીએ ગેરંટી આપી હતી કે, દેશને આંખ  દેખાડનારાઓને પાઠ ભણાવવામાં આવશે.

10:45 AM (IST)  •  07 Apr 2024

Lok sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાને મળ્યો મોરબીના ધારાસભ્યનો સાથ

વિવાદમાં ઘેરાયેલા રૂપાલાની સમર્થનમાં એક એક બાદ ભાજપના નેતા મેદાને આવી રહ્યાં છે. હવે મોરબીના MLA કાંતિ અમૃતિયા પણ રૂપાલાના સમર્થનમાં સામે આવ્યાં છે.  તેમણે એક વીડિયો પોસ્ટ કરીને સમર્થન  જાહેર કર્યું છે વીડિયોમાં કહ્યું કે. “રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ”

10:45 AM (IST)  •  07 Apr 2024

Lok sabha Election 2024 Live: ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ભરી શકે છે ઉમેદવારી પત્ર

ગાંધીનગર બેઠકથી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકે છે.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર  ભરવા પહોંચશે. 17 એપ્રિલ રામનવમીના દિવસે અમિત શાહ  રોડ શો પણ કરશે અને આ  સાથે તેઓ સભાને પણ સંબોધશે.લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2019માં શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી  જીત મળી હતી. 2019માં અમિત શાહને  69.67 ટકા મત મળ્યાં હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget