શોધખોળ કરો

Arvalli : અમદાવાદના કોલેજિયન યુવકનો ડેમમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ, ઘરેથી માર્કશીટ લેવા ગયા પછી થયો હતો ગુમ

મોડાસાની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીની મેશ્વો ડેમમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.  શામળાજીના મેશ્વો ડેમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.

અરવલ્લીઃ મોડાસાની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીની મેશ્વો ડેમમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.  શામળાજીના મેશ્વો ડેમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. કોલેજમાં માર્કશીટ લેવા આવેલ અમદાવાદના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો. યુવાન 17 જાન્યુઆરીએ અમદાવાદથી મોડાસા આવ્યો હતો. વિદ્યાર્થી ઘરે પરત ન ફરતા પરિવારે  પોલીસને જાણ કરી હતી. મૃતક નીરજ કુશવાહા ની લાશ ને પી.એમ. માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.

ભાવનગરઃ ઢસાના ચોસલા ગામના મહંતની પાંચ દિવસ પહેલા હત્યા થઈ હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

ગામમાં ધૂણી ધખાવીને બેઠેલા મહંતે તેમના માનીતા સેવકને કહ્યું, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું. તું ખરાઈ કરી જો, મને કંઈ થશે નહીં. જે બાદ મહંતની આજ્ઞા અનુસાર સેવકે તેમના ગળા પર દાતરડાનો ઘા ઝીંક્યો હતો. જેના કારણે મહંત ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ સેવકે મહંતનો મૃતદેહ, શેતરંજી, કોટી અને હથિયાર કૂવામાં ફેંકી દીધા હતા.

ઘટનાની તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અને સેવકે જ લાશ અહીં ફેંકી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેમના માનિતા સેવકને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ગુરુએ મને મેં વિધિવિધાન કર્યા છે, હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને કંઈ થશે નહીં તેમ કહેતા તેમના આજ્ઞા મુજબ દાંતરડા વડે હુમલો કરતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આરોપીના મુખેથી ઘટનાની વિગત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વર્ધામાં કાર પુલ પરથી ખાબકી, BJP ધારાસભ્યના પુત્ર સહિત 7 MBBS વિદ્યાર્થીનાં મોત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મંગળવારે સવારે એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ગત રાત્રે 7 મેડિકલ સ્ટુડન્ટ્સ (MBBS સ્ટુડન્ટ્સ) બ્રિજ પરથી તેમની કાર નદીમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી મુજબ મેડિકલના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના દાવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વય જૂથના હોવાનું કહેવાય છે. ઘાયલોને વર્ધા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે કાર સેલસુરા નજીક એક પુલ પરથી પડી હતી. કારમાં સવાર વિદ્યાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. ગાડીમાં સવાર સાતેય વિદ્યાર્થી સવાંગી મેઘ મેડિકલ કોલેજમાં ભણતા હતા. તેઓ યવતમાલથી સવાંગી પરત ફરતા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે, દુર્ઘટના રાત્રે 11.30 કલાકે બની. મૃતકમાં તિરોડા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિષ્કાર પણ સામેલ છે. આ ઉપરાંત નીરજ ચૌગાણ, નિતીશ સિંહ, વિવેદ નંદર, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પવન શક્તિના પણ મોત થયા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
Embed widget