મહેસાણા: કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા
કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને 55 હજારનો દંડ અને 1.50 લાખ પીડિતાને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ સવા બે વર્ષ પહેલાં દુષ્કાર્મ આચર્યું હતું.
મહેસાણા: કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને 55 હજારનો દંડ અને 1.50 લાખ પીડિતાને ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ સવા બે વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જઈ દુષ્કાર્મ આચર્યું હતું. આરોપીનું નામ કીર્તિ ઉર્ફે કીર્તિજી ઠાકોર છે. આ કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે આરોપીને કડક સજા કરી એક દાખલો બેસાડ્યો છે.
દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16,400 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,260 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,84,710 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,48,944 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,78,005 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.
ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.
રસીકરણ પર મૂક્યો ભાર
ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
and tablets