શોધખોળ કરો

Banaskantha : ગાંધી જયંતિના કાર્યક્રમ પછી થરાદની સ્કૂલમાં લાગી આગ, મચી અફરા-તફરી

આગમાં સ્ટોર રૂમમાં રાખેલ દસ્તાવેજ સહિતનો સામાન બળીને ખાખ  થઈ ગયો હતો. કાર્યક્રમ બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 

થરાદઃ બનાસકાંઠામાં થરાદના નાગલા ગામની ગાયત્રી કૃપા શાળામાં આગની ઘટના સામે આવી છે. ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અને ગ્રામસભા કાર્યક્રમ બાદ આગ લાગી હતી. આગને પગલે અફરા-તફરી મચી ગઈ હતી. સોર્ટ સર્કિટના કારણે સ્ટોર રૂમમાં આગ લાગતાં અફરા- તફરી મચી ગઈ હતી. 

આગમાં સ્ટોર રૂમમાં રાખેલ દસ્તાવેજ સહિતનો સામાન બળીને ખાખ  થઈ ગયો હતો. કાર્યક્રમ બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 


Banaskantha : ગાંધી જયંતિના કાર્યક્રમ પછી થરાદની સ્કૂલમાં લાગી આગ, મચી અફરા-તફરી

PM મોદીએ પાલનપુરના પીપળી ગામના લોકો સાથે કર્યો સંવાદ, હવે ગામ બનશે પ્લાસ્ટિક મુક્ત

અમદાવાદઃ આજે 2 ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. જેમાં સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય અને વેક્સિનેશનની કામગીરી અંગેના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી. તેમજ પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ સંવાદને પગલે સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. 

મહાત્મા ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની 14250 ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થાય એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

પીપળી ગામે પ્રધાનમંત્રી સાથે સીધા સંવાદમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠાની પીપળી ગ્રામપંચાયતની સારી કામગીરીને લઈને પસંદ કરાઈ હતી. પ્રધાનમંત્રીએ ઓનલાઈન પીપળી ગામના લોકો સાથે સંવાદ કરતા પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ હતી. પીપળીધામની જલ જીવન મિશન અંતર્ગત ઘેર ઘેર પીવાના પાણીમાંની સુવિધા સહિત ગામમાં સ્વચ્છતા અને ગામમાં ગટર લાઈન ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળી ગામ ને પસંદ કર્યું હતું. 

અમારા ગામમાં નલ સે જલ સ્વચ્છતા સહિતની  તમામ સુવિધાઓને ધ્યાને લઇ પ્રધાનમંત્રીના  સીધા સંવાદમાં અમારા ગામની પસંદગી થઈ  છે ગામમાં નલ સે જલ અંતર્ગત ઘેર ઘેર પાણીના નળને સુવિધા કરવામાં આવી છે ત્યારે  સોચક્રિયા માટે ઘેર ઘેર સૌચાલય પણ બનાવવામાં આવ્યા છે ત્યારે ગામમાં ગટર લાઈન ની સુવિધાને લઈને ગામમાં પાણીનો વેડફાટ પણ થતો નથી આમ સ્વચ્છતા પાણી અને સફાઈ પર પીપળી ગામે ભાર મૂક્યો છે જેના કારણે દેશના વડાપ્રધાને પીપળી ગામની પસંદગી કરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Embed widget