શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા બે શહેરોમાં બપોર પછી બધું જ બંધ રાખવા લેવાયો નિર્ણય?
હિંમતનગર શહેર આવતીકાલથી 10 ડીસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
હિંમતનગરઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના બે શહેરોમાં કોરોના સંક્રમણને પગલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બે શહેરોમાં બપોર પછી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિંમતનગર શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી સાંજે 4 વગ્યા બાદ બજાર બંધ રહેશે. હિંમતનગર શહેર આવતીકાલથી 10 ડીસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓએ સ્વયંભુ બજાર 4 વાગ્યા બાદ બંધ રાખવા તૈયારી દર્શાવી છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
આ સિવાયઇડરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને પ્રાંત અધિકારીની મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે. 25 નવેમ્બરથી 9 ડીસેમ્બર સુધી ઇડર બજાર 4 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. 4 વાગ્યા બાદ મેડિકલ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement