![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: યુવતિ પર મંગેતરે આચર્યુ દુષ્કર્મ, નિર્વસ્ત્ર કરી વાળ કાપી રોડ પર કણસતી હાલતમાં ફેંકી દીધી, જાણો વિગત
Mehsana Crime News: 8 મહિના પહેલા સગાઈ કરેલા યુવકે જ યુવતિ પર રેપ કર્યો હતો. ઘટનાના પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
![Crime News: યુવતિ પર મંગેતરે આચર્યુ દુષ્કર્મ, નિર્વસ્ત્ર કરી વાળ કાપી રોડ પર કણસતી હાલતમાં ફેંકી દીધી, જાણો વિગત Mehsana News: fiancé makes physical relation with fiancée and left her on road know in details Crime News: યુવતિ પર મંગેતરે આચર્યુ દુષ્કર્મ, નિર્વસ્ત્ર કરી વાળ કાપી રોડ પર કણસતી હાલતમાં ફેંકી દીધી, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/513be0627e01269835e5ece3e48edd05168759876349176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana Crime News: મહેસાણામાં ચકચારભરી ઘટના બની છે. યુવતિ પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી. 8 મહિના પહેલા સગાઈ કરેલા યુવકે જ યુવતિ પર રેપ કર્યો હતો. ઘટનાના પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
કડી પોલીસે આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
કડી નજીકના યુવકની વિરમગામની યુવતી સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે કડીથી યુવક વિરમગામ જઈ યુવતીને કડી લાવ્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. સ્કોર્પિયો જીપમાં કડી લઈ આવતા અણબનાવ બન્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. નિર્વસ્ત્ર કરી યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી હતી. કડી પોલીસે આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતી હાલ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહેસાણાના ભટારીયા ગામે મહાદેવજીના મંદિર તેમ જ ઉમિયા માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજના 120 સભ્યો માટે ગામની શાળામાં અલગથી જમવાની વ્યવસ્થા ઉભી કરવા બાબતે વિરોધ શરૂ થયો છે. દલિત સમાજે એક થઈને આ જમણવારનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આ બાબતે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. દલિત સમાજના એક પણ પરિવારે જમણવારમાં જવાનો નનૈયો ભણી દેતા કલાકો સુધી ચાલેલા આ પ્રસંગમાં આ જ મુદ્દો મુખ્ય ચર્ચાસ્પદ બન્યો હતો. ગામનાં યુવાનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામની દીકરીઓને તેડાવવામાં આવી છે. ત્યારે દલિતોની દીકરીઓ શું ગામની નથી તેમને અહીં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી અને ગામનો વાળંદ દલિત સમાજના એક પણ વ્યક્તિના વાળ કાપતો નથી.દલિત સમાજના લોકો માટે અલગ જમવાની વ્યવસ્થા કરી છે તો શું કોઈએ જમવાનું જોયું નથી.ગામના સરપંચ વિજયાબેન પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, હું દલિત સમાજની છું અને ગામની સરપંચ છું છતાં પણ મને જમવાનું આમંત્રણ અલાયદું આપવામાં આવ્યું છે. જ્યાં મારા સમાજનો વિરોધ થતો હોય ત્યાં મારે ઊભું ન રહેવાય. હું મારા દલિત સમાજ સાથે છું. સરપંચે વધુમાં કહ્યું હતું કે, ગ્રામજનો દ્વારા દલિત પરિવારના 120 સભ્યો સાથે જે પણ વર્તન કરવામાં આવે છે તે હવે ચલાવી લેવાશે નહીં અને આ બાબતે અમે લડત આપીશું.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)