શોધખોળ કરો

Global Millets: “કોઇના પણ નામ આગળ ‘શ્રી’ એમ જ નથી લગાવાતું” ગ્લોબલ મિલેટ્સ સંમેલનમાં PM મોદીએ કહ્યું

Global Millets Conference: આજે મિલેટ્ વર્ષ પર દિલ્લીમાં 100 થી વધુ દેશોના કૃષિ મંત્રીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકોનો મેળાવડો હતો. પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.

Global Millets Conference: આજે મિલેટ્ વર્ષ પર દિલ્લીમાં   100 થી વધુ દેશોના કૃષિ મંત્રીઓ,  સંશોધકો અને વૈજ્ઞાનિકોનો મેળાવડો હતો. પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(18 માર્ચ) નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ના) કોન્ફરન્સ જેવી ઘટનાઓ માત્ર ગ્લોબલ ગૂડ્ઝ માટે જ જરૂરી નથી પરંતુ ગ્લોબલ ગુડ્સમાં ભારતની વધતી જવાબદારીનું પ્રતીક પણ છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે આપણે કોઈ રિઝોલ્યુશનને આગળ લઈ જઈએ છીએ ત્યારે તેને પૂર્ણતા સુધી લઈ જવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે આજે જ્યારે વિશ્વ 'આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારત આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે.

Pakistan: 'ઇમરાન ખાન આતંકીઓનો આકા, PTI આંતકી સંગઠન, ગુફાઓમાં બેસીને આપે છે ઓર્ડર' - મરિયમ નવાઝ

પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML-N)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ શરીફે (Maryam Nawaz Sharif) શુક્રવારે (17 માર્ચે) ગઠબંધન સરકારમાંથી પીટીઆઇને આંતકવાદી સંગઠન માનવાનુ આહવાન કર્યુ છે. તેમને કહ્યું કે, જે રીતે સરકાર એક પ્રતિબંધિત સંગઠનથી નિપટે છે, ઇમરાન ખાનને પણ તે જ રીતે નિપટાવાવો જોઇએ.

મરિયમ નવાઝ શરીફે આગળ કહ્યું- આપણે પાકિસ્તાન તહરીક ઇન્સાફ (PTI) ને રાજનીતિક પક્ષ તરીકે તેની સાથે વ્યવહારને ખતમ કરવાની જરૂર છે. 

ઇમરાન ખાનની તમામ રણનીતિ ફેઇલ  -
લાહોરમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન મરિયમ નવાઝ શરીફે કહ્યું કે, PTI ના અધ્યક્ષ ઇમરાન ખાન હવે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે, કેમ કે તેમની તમામ રણનીતિ ફેઇલ થઇ ગઇ છે, સરકારે તેની સાથે એવી જ રીતે વર્તાવ કરવો જોઇએ જેવો આતંકવાદી સંગઠન સાથે કરવો જોઇએ. પીએમએલ-એનની વરિષ્ઠ ઉપાધ્યના પૂર્વ પ્રધાન મંત્રી પર ખુલ્લી રીતે રાજ્ય વિરુદ્ધ વિદ્રોહ કરવાનો આરોપ લગાવ્યો છે. 

PML-N નેતાની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઇમરાન ખાન તોશખાના મામલામાં ધરપકડનો વિરોધ કરી રહ્યાં છે, અને સેંકડો સમર્થકોથી ઘેરાયેલો પાતાના જમાન પાર્ક આવાસની અંદર છુપાઇને બેઠા છે. જેમને પોલીસ અને રેન્જરો સાથે લડાઇ લડી છે. મરિયમ નવાઝ કહ્યું કે વિદેશી ફન્ડિંગ મામલા બાદ મને આમાં કોઇ સંદેહ નથી કે તેમને (ઇમરાનને) પાકિસ્તાનમાં નાગરિક અશાંતિ અને અરાજકતા ફેલાવવા માટે જવાબદાર છે. 

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ શરીફે કહ્યું કે - આતંકવાદી ત્યારે શું કરે છે જ્યારે તે આંતકવાદને અંજામ આપવાની યોજના બનાવી રહ્યાં હોય છે ? તેઓ ગુફાઓમાં છુપાઇ જાય છે અને ત્યાંથી જ ઓર્ડર આપે છે. રાજનીતિક અને લોકતાંત્રિક આંદોલનોમાં આપણે હંમેશા જોયુ છે કે રાજનીતિક નેતા કે પાર્ટી પ્રમુખ સામેથી નેતૃત્વ કરે છે. તે સૌથી આગળ અને લોકો તેમની પાછળ પાછળ નીકળે છે. માત્ર એક આતંકવાદી સંગઠનોને જ એક ગુફામાંથી છુપાઇને આદેશ આપવામાં આવે છે, અને ઇમરાન ખાન આવુ જ કરી રહ્યાં છે. જમાન પાર્કમાં એવુ જ થઇ રહ્યું છે. 

 

Imran Khan Arrest: ઇમરાન ખાનની ધરપકડ પર આમને-સામને પોલીસ અને PTI સમર્થકો

Pakistan Political Drama: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઇને પાકિસ્તાનમાં મંગળવારે (14 માર્ચે)થી શરૂ થયેલી બબાલ હજુ પણ યથાવત છે, બુધવારે સવારે પણ ઘર્ષથ જોવા મળ્યું હતુ. લાહોરમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. પીટીઆઇ અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે જમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. 

અહીં ઇમરાન ખાનની ધરપડક માટે પાર્ટી સમર્થકો અને પોલીસ ફોર્સની વચ્ચે 14 કલાકથી વધુ સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. હાલમાં પાર્ટી સમર્થકોના હિંસક વિરોધના કારણે ઇમરાન ખાનની ધરપકડ નથી થઇ શકી.  

ઇમરાન ખાનને કરવામાં આવ્યા સવાલો  -
એકબાજુ જ્યાં તંત્રે ઇમરાન ખાનને અરેસ્ટ કરવા માટે વધુ ફૉર્સની વ્યવસ્થા કરી છે, તો વળી, બીજુબાજુ ઇમરાન ખાનને પોતાના સમર્થકોને જમાન પાર્કમાં ફરીથી ભેગા થવાની અપીલ કરીને વધુ ભીડ ભેગી કરી છે. ઇમરાન ખાને બુધવારે સવારે 4:20 વાગે પોતાના સમર્થકોને સંબંધિત કર્યા અને કહ્યું કે, તેની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એક વીડિયો સંદેશથી ઇમરાન ખાને કહ્યું જે રીતે પોલીસે અમારા લોકો પર હુમલો કર્યો છે, તેનું કોઇ ઉદાહરણ નથી. આટલા ઓછા લોકો પર આ રીતનો હુમલો કરવાનું કારણું શું છે. 

પોલીસ કાર્યવાહીને ગણાવી લંડન યોજનાનો ભાગ  -
ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, આ લંડનની યોજનાનો ભાગ છે, અને ઇમરાન ખાનને જેલમાં નાંખો, પીટીઆઇને પાડવા માટે નવાઝ શરીફ વિરુદ્ધ તમામ કેસોને ખતમ કરવા માટે અહીં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

બીજો શહેરોમાં પણ રસ્તાં પર ઉતર્યા સમર્થકો  -
રિપોર્ટ અનુસાર, પોલીસ તરફથી પીટીઆઇ સમર્થકો પર બળ પ્રયોગ કર્યા બાદ ઇમરાન ખાનની અપીલ બાદ અને સપોર્ટર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી ગયા છે. ઇસ્લામાબાદ, પેશાવર, કરાંચ, રાવલપિંડી અને અન્ય શહેરોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget