શોધખોળ કરો

રાજકોટઃ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર, ઓનલાઈન શિક્ષણના કારણે 13 વર્ષની છોકરીએ કેમ કરી લીધો આપઘાત ?

રાજકોટમાં 13 વર્ષીય છોકરીએ ઓનલાઇન શિક્ષણને કારણે આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે.

રાજકોટઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસ તો શરૂ થઈ ગયો છે, પરંતુ આ બધાની વચ્ચે વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 13 વર્ષીય છોકરીએ ઓનલાઇન શિક્ષણને કારણે આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ધો.૮માં અભ્યાસ કરતી ખુશી રોહિતભાઈ શીંગડિયા નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. કારણ કે તેને ઓનલાઈન અભ્યાસનો કંટાળો આવતો હોવાથી આ પગલું ભર્યું છે. સવારે માતાએ અભ્યાસ કરવાનું કહેતા લાગી આવતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મવડી ૪૦ ફૂટ રોડ પર ધરમનગર પાસે ગિરનાર સોસાયટી-૫માં આ ઘટના બની હતી. ગેરેજ ધરાવતાં રોહિતભાઈને સંતાનમાં એક ૯ વર્ષનો પુત્ર અને ૧૨ વર્ષની પુત્રી ખુશી હતી. ખુશી ઘર પાસે આવેલી જયકિશન સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બધી સ્કૂલો દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરાવાયો હતો. જોકે, પિતા રોહિતભાઈનાં જણાવ્યા પ્રમાણે તેની પુત્રી ખુશીને ઓનલાઈન અભ્યાસનો કંટાળો આવતો હતો. સવારે સ્કૂલ તરફથી હોમવર્ક અપાયું હતું. જે પૂરું કરવાનું માતાએ કહેતા ખુશી રૂમમાં જતી રહી હતી અને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. લાંબા સમય સુધી ખુશી ઘરમાંથી બહાર નહીં આવતાં પરિવારજનોને ચિંતા થવા લાગી હતી. દરવાજો નહીં ખોલતાં પાછળના ભાગેથી જઈ જોતાં ખુશી લટકતી જોવા મળી હતી. આ પછી તેને નીચે ઉતારી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. પોલીસે પાસેથી મળતી વિગતો પ્રમાણે ખુશીનું ઓનલાઈન અભ્યાસમાં મન લાગતું ન હતું. એટલું જ નહીં, આગલા દિવસે તેને ભાઈ સાથે ઝઘડો થતાં માતાએ ઠપકો આપ્યો હતો. ગઈ કાલે ફરીથી અભ્યાસ બાબતે માતાએ કહેતાં લાગી આવતાં તેમણે આ પગલું ભર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget