શોધખોળ કરો

ચૈતર વસાવાની ધરપકડ પર ઈસુદાન ગઢવીના બીજેપી પર આકરા પ્રહારો, કહ્યું- ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે

Rajkot: રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Rajkot: રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગઢવીએ જણાવ્યું કે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતથી ભાજપ બોખલાઈ ગયું છે અને તેમના ઇશારે પોલીસ કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા છે અને ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે. 

ગઢવીએ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવા સતત કૌભાંડો ઉજાગર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તે ભાજપને ખટકી રહ્યું છે, અને આ ખાર રાખીને તેમની સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો એક ધારાસભ્યની ખોટી રીતે ધરપકડ કરાતી હોય અને તેમની ફરિયાદ લેવામાં ન આવતી હોય, તો એક સામાન્ય આદિવાસી વ્યક્તિની શું હાલત હશે.

 ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ

નર્મદાના ડેડીયાપાડામાં MLA ચૈતર વસાવાની ધરપકડ બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે. અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખને થપ્પડ માર્યાના આરોપમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવા વિરુદ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કરાયો હતો. આજે બપોર બાદ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાશે. LCB ઑફિસ બહાર SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે.

લાફાકાંડ મુદ્દે ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યએ આવુ કૃત્ય ન કરવું જોઈએ. આવી રીતે હુમલો કરવો ધારાસભ્યને શોભતું નથી. ગુનો કર્યો છે એટલે કાર્યવાહી થવી જોઈએ. લોકોને ધમકાવવા, મારવા ચૈતર વસાવાનું કામ છે.

નોંધનીય છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પ્રાંત કાર્યાલય ખાતે યોજાયેલી ATVTની સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કથિત ઝઘડા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને ચૈતર વસાવાની ધરપકડ કરી અને મામલાની તપાસ શરૂ કરી છે. બેઠકમાં ચૈતર વસાવાએ સમિતિમાં ઉદ્યોગપતિ અક્ષય જૈન સહિત છ સભ્યોના સમાવેશ અને તેમના કાર્યોની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ચૈતરે દાવો કર્યો હતો કે સમિતિમાં આ 6 સભ્યોની પસંદગીનો વિરોધ હતો અને આ બાબતે ચર્ચા શરૂ થઈ હતી કે સમિતિમાં ફક્ત ચૂંટાયેલા સભ્યો જ રહેવા જોઈએ. અને વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને બે અઠવાડિયા સુધી કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કહ્યું કે આ સમિતિના સભ્યો છે, અમે નક્કી કર્યું છે. તેમનું કામ થશે અને મીટિંગો પણ યોજાશે. આ બાબતે બંને પક્ષો વચ્ચે ચર્ચા ઉગ્ર બોલાચાલી થઇ હતી અને જેના કારણે કથિત રીતે ઝપાઝપી થઈ હતી.

ધારાસભ્ય ચૈતરના સમર્થકો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીનો આરોપ છે કે ચૈતર સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પોલીસે તેમની ફરિયાદ સાંભળી નહીં અને તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અને વહીવટીતંત્રે ભાજપ સાથે મળીને લોકશાહીની હત્યા કરી છે. ચૈતરને તેમના વકીલને મળવા દેવામાં આવ્યા ન હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે વિવાદ પછી ચૈતર વસાવાને નર્મદાના રાજપીપળા સ્થિત એલસીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
Embed widget