શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મિની લોકડાઉનથી વેપારીઓની તૂટી કમર, કેસ ઘટતાં દુકાનો શરૂ કરવાની કરી માંગ

સરકાર તરફથી લગાવવામાં આવેલા નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂને લઈને નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે..હજી તો પહેલા લોકડાઉનની કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

અમરેલીઃ અમરેલી શહેરમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂને (Night Curfew) લઈને નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે..હજી તો પહેલા લોકડાઉનની (Lockdown) કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. અમરેલીના (Amreli) ઇન્દિરા શોપિંગ સેન્ટર વિસ્તારમાં 30 વર્ષથી કાપડની દુકાન ચલાવતા યોગેશભાઈ કોટેચાના કહેવા મુજબ મિની લોકડાઉનના (Mini Lockdown) કારણે તેમની કમર તૂટી ગઇ છે. કારણકે છેલ્લા બે વર્ષથી ધંધામાં ખોટ સહન કરી રહ્યા છે. દુકાન શરૂ કરવા માટે તેમણે લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ મિની લોકડાઉનના કારણે દુકાન બંધ રાખવી પોષાય તેમ નથી. આવક નહીં હોવાથી તેમણે પોતાના ઘર ખર્ચ પર કાપ મુકી દીધો છે. તો મિત્રો પાસેથી ઉધાર લઈને દુકાન ચલાવવા પ્રયાસ કરી રહ્યા છે.

કોરોનાની પહેલી લહેરના સમયે તંત્ર દ્વારા લોકડાઉન લગાવતા તમામ ધંધા રોજગાર બંધ રહ્યા હતા.જેથી મોટી નુકશાની ભોગવવાનો વેપારીઓને વારો આવ્યો હતો.ત્યાર બાદ બીજી લહેરમાં પણ કોઈ સહાય વગર મીની લોકડાઉનને કારણે વેપારીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ આ કાપડના વેપારીને માસિક 1.5 લાખ આસપાસનું ટર્ન ઓવર થાય છે. જેમાંથી આ કાપડના વેપારીને 40 હજાર આસપાસનો નફો રહે છે. તેમની ઉંમર હોવાથી દુકાનમાં 3 જેટલા માણસો કામ પર રાખ્યા છે. દુકાનમાં 3 માણસોનો પગાર 7 થી લઈને 10 હજાર સુધીના છે. તેમજ આ દુકાન પોતાના માલિકીની છે પરંતુ લાઈટ બિલ,વેરો,ટેક્સ પણ ભરવો પડે છે. જેથી વેપારીને ધંધો રોજગાર ચલાવવો મુશ્કેલ પડી રહ્યો છે.


સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મિની લોકડાઉનથી વેપારીઓની તૂટી કમર, કેસ ઘટતાં દુકાનો શરૂ કરવાની કરી માંગ

હાલ દુકાનો બંધ છે તેમ છતાં તેમના ત્યાં કામ કરતા મજૂરો ને તેઓ પગાર ચૂકવી રહ્યા હોવાનું વેપારી કહી રહ્યા છે,તો દુકાનો બંધ હોવાથી ઘર ખર્ચ ચલાવવો અને પરિવારજનોનું ભરણ પોષણ કરવુ મુશ્કેલ પડતું હોવાનું વેપારી કહી રહ્યા છે અને માર્કેટમાં વેપાર ન હોવાથી નાણાનું ટર્ન ઓવર પણ ખૂબ ઓછું થયું છે. લાખો રૂપિયાનું દુકાનમાં રોકાણ છે તેવામાં દુકાન બંધ રાખવું તે પણ પોષાય તેમ નથી તો છેલ્લું બંધ આવ્યું ત્યારે રોકડ પણ વેપારીઓ પાસે નથી અને નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના વેપારીઓની પરિસ્થિતિ ખૂબ દયનિય છે. તો અન્ય સંસ્થાઓ અને ધંધા રોજગાર ચાલુ છે તો વેપારીઓની દુકાન જ કેમ બંધ. અને માત્ર 36 શહેરોમાં જ કોરોના છે તેવા પણ સવાલ વેપારી કરી રહ્યા છે.પરિવારનો ખર્ચ ઓછો કરી અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને દુકાન ચલાવતા હોવાનું વેપારી કહી રહ્યા છે.

અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના (Amreli Chamber of Comerce) પ્રમુખ ચતુરભાઈ અકબરીના કહેવા મુજબ, શહેરના અનેક નાના-મોટા વેપારીઓની પરિસ્થિતિ ખરાબ છે. સરકાર નાના શહેરોનું વિચારીને બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખે તે જરૂરી છે. હાલ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બપોર બાદ ધંધા રોજગાર ચાલુ રાખવા જોઈએ.જેથી નાના વેપારીઓને મુશ્કેલી ન પડે. નાના વેપારીઓનો ધંધો ફરીથી ધમધમતો થાય તે માટે 1 લાખ સુધીની લોન આપવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget