શોધખોળ કરો

રાજકોટમાં વધુ એક ઇંજેક્શન કૌભાંડ, 24 રેમડેસિવિર ઇંજેક્શન સગેવગે કર્યા હોવાનો ખુલાસો

એક ક્લિનિકના નામના બોગસ બિલ બનાવી 46 હજાર 473ની કિંમતના 24 ઇન્જેક્શન સગેવગે કરી નાખ્યાનું ખુલ્યું છે.

રાજકોટઃ કોરોના સંકટ વચ્ચે રાજકોટમાં વધુ એક ઈંજેક્શન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વધુ એક એજંસીએ રાજકોટમાંથી બોગસ બીલ બનાવી 24 રેમડેસિવિર ઈંજેક્શન સગેવગે કર્યા હોવાનો ખૂલાસો થયો છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ એક એજન્સીમાં તપાસ કરતા એજન્સીના સંચાલક અને એમઆરે મળી એક ક્લિનિકના નામના બોગસ બિલ બનાવી 46 હજાર 473ની કિંમતના 24 ઇન્જેક્શન સગેવગે કરી નાખ્યાનું ખુલ્યું છે. મોટીટાંકી ચોક પાસે આવેલી દવાની ન્યૂ આઇડલ નામની એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં કઇ કંપનીમાંથી કેટલા ઇન્જેક્શન આપ્યા, તે ઇન્જેક્શન કોને કોને અપાયા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ હતી. એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડિયાએ જુદી જુદી હોસ્પિટલ અને ક્લિનિકના બિલ રજૂ કર્યા. જેમાં 24 રેમડેસિવિર ઇન્જેક્શન દ્વારકેશ પાર્કમાં રહેતા અને આનંદ ક્લિનિક ધરાવતાં ડોક્ટર આનંદભાઇ હસમુખભાઇ ચૌહાણને આપ્યાનું અને તેના નામનું બિલ પણ રજૂ કર્યું, જે બિલ શંકાસ્પદ લાગતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડો.આનંદભાઇ ચૌહાણનો સંપર્ક કરતાં તે બિલ નકલી હોવાનો ધડાકો થયો હતો. આ અંગે ડો. આનંદભાઇએ ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાંચે ન્યૂ આઇડલ એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડિયાને ઉઠાવી લઇ તેની પૂછપરછ શરૂ કરી, પૂછપરછમાં બહાર આવ્યું કે, આવા પ્રકારના જ ગુનામાં જેલમાં રહેલા એમઆર રજનીકાંત ફળદુએ ઇન્જેક્શનનો જથ્થો સગેવગે કર્યો. પોલીસે રજનીકાંત ફળદુનો જેલમાંથી કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget