Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર શરુ, રેસકોર્સમાં ઉમટ્યું માનવ મહેરામણ
Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે.

Background
Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યા છે. તે સિવાય ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત રહેશે. આયોજકોનો દાવો છે કે એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના છે. વી.આઈ પી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
રેસકોર્સમાં માનવ મહેરામણ ઉમટ્યું
રાજકોટના રેસકોર્સમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પહોંચ્યા છે. આજથી બે દિવસ રાજકોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોંચ્યા પૂર્વ સીએમ રુપાણી
રાજકોટ ખાતે થોડીવારમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેમાં ભાગ લેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે. વિજય રૂપાણીએ અવસરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે તેથી તે સનાતન ધર્મનો વિરોધ કરે છે.





















