શોધખોળ કરો

Rajkot News: કેરી મામલે મારામારી, વેપારીઓએ ફોડી નાખી ગ્રાહકની આંખ, જાણો શું છે મામલો

રાજકોટમાં કેરીના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ ગઇ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઇ. બાબલમાં ગ્રાહકની આંખ ફૂટી ગઇ.

Rajkot News:રાજકોટમાં કેરીના  બોકસના ભાવતાલને લઇને બાબલ થઇ ગઇ હતી મામલો બિચકતાં વેપારીએ મારામારી કરતા ગ્રાહકની આંખ ફોડી નાખી. જાણીએ શું  સમગ્ર મામલો

રાજકોટમાં કેરીના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ ગઇ હતી. અહીં રૈયા રોડ પર કેરીના બોક્સના મામલે ધમાલ મચી ગઇ  બંને વેપારી ગ્રાહક પર તૂટી પડયા અને ગ્રાહકની આંખ ફોડી હતી. રાજકોટ રૈયારોડ પર કેરીના બોક્સના ભાવતાલને લઇને  ધમાલ થઇ હતી. વેપારીઓએ કેરીના બોક્સનો ભાવ 700 રૂપિયા કહ્યો હતો.. ગ્રાહકોએ એ કહ્યું 500 રૂપિયાનું આપો બંને વચ્ચે ભાવતાલને લઈને  દલીલ થઇ બાદ મામલો ગરમાયો.બે વેપારીઓએ ભેગા મળી અને ગ્રાહક શાંતિલાલ નકુમની આંખનો પડદો ફાડી નાખ્યો હતો. જેના પગલે શાંતિલાલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આંખનો પડદો ફાટી જતા સિવિલ હોસ્પિટલમાં ગ્રાહકની સર્જરી કરવાની નોબત આવી હતી. પોલીસ ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Banaskantha: રાજ્યના આ વિસ્તારના પરિવારો કેમ કરી રહ્યા છે હિજરત, ધારાસભ્યએ લીધો મોટો નિર્ણય

બનાસકાંઠા: ભૂગર્ભજળ ઊંડા જતા ગ્રામલોકો દ્વારા અનોખો નિર્ણય કર્યો. દીયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા જાહેરમાં પાઘડી અને ફૂલહારનું સન્માન નહીં સ્વીકારવાનું નિર્ણય કરાયો હતો. કેશાજીના આ નિર્ણયને હવે ગામડે ગામડે સમર્થન મળી રહ્યું છે. લાખણી અને દિયોદર પંથકના ત્રણ ગામોએ ધારાસભ્યને વ્યક્તિગત શુભ અને ધાર્મિક પ્રસંગે આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં માત્ર 11 ટકા ભૂગર્ભ જળ હોવાના દાવા વચ્ચે હવે લાખણી તાલુકાના લવાણા, કુડા, મોજરુ ગામના લોકોએ અનોખો નિર્ણય કર્યો. ધારાસભ્ય કેશાજી ચૌહાણ થોડા દિવસ અગાઉ ભૂગર્ભ જળના પ્રશ્નને લઈને નિવેદન આપ્યું હતું. કેશાજી ચૌહાણએ દિવસેને દિવસે ઘટતા જતા ભૂગર્ભજળને લઈને પોતે જાહેર કાર્યક્રમોમાં પાઘડી અને ફૂલહારનું સન્માન નહીં સ્વીકારવાનો સત્યાગ્રહ આદર્યો છે. જેના પગલે દિયોદર પંથક અને લાખણી પંથકના લવાણા કુડા અને મોજરુ ગામે સિંચાઈના પાણી ઊંડા જતા મધ્યમ વર્ગના લોકો અને નાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તો બીજી તરફ 1000 થી 1200 ફૂટ ભૂગર્ભજળ જતા ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ ખેતરમાં પાંચ-પાંચ બોર ફેલ જતા ખેતી કરવી મુશ્કેલ બની છે. તો બીજી તરફ સરકાર દ્વારા ભૂગર્ભજળને ઊંચા લાવવા અનેક યોજનાઓ બહાર લાવી છે. પરંતુ છેવાડાના ગામડા સુધી આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. સુજલામ સુફલામ અંતર્ગત તળાવો ભરવા, નર્મદાની નહેર છેવાડાના ગામડા સુધી પહોંચાડવી, સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી ચાલુ રાખવું, બનાસ નદીને જીવંત રાખવી,રેલ નદીમાં નર્મદાનું પાણી નાખે તેવા અનેક પ્રયાસો થકી ભૂગર્ભજળ ઊંચા આવે તેમ છે. પરંતુ હાલ સિંચાઈના પાણીની અછત ઊભી થતા પરિસ્થિતિ વિકટ બની છે અને હવે આ ભૂગર્ભ જળના સમસ્યાને પહોંચી વળવા ધારાસભ્યને કામ માટે સમય મળે એટલે અનેક ગામડાઓ પોતે સામાજિક કે ધાર્મિક પ્રસંગે ધારાસભ્યને ગામમાં ના બોલાવવાનું નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ સિંચાઈના પાણીની અછતથી લવાણા સહિતના ગામોમાં હવે પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે. લાખણી તાલુકાના લવાણા ગામે મધ્યમ વર્ગના લોકો અને નાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. ગુજરાન ચલાવવા માટે લવાણા ગામના 50થી વધુ પરિવારો હિજરત કરી અન્ય વિસ્તારમાં જવાની ફરજ પડી છે. છેલ્લા ચાર વર્ષથી ઘટતા જતા ભૂગર્ભ જળને લઈને એક જ પરિવારના 10 થી વધુ લોકો હાલ ધંધા અર્થે પરિવાર છોડી ખેતરો છોડી બહાર નીકળી ચૂક્યા છે. ભૂગર્ભજળને લીધે સિંચાઈના પાણી માટે અછત ઊભી થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Embed widget