શોધખોળ કરો

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન: રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં ઉમટી જનમેદની, 'વિજયભાઈ તું અમર રહો'ના નારાથી ગુંજી ઉઠ્યું રાજકોટ.

Vijay Rupani death news: ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે રાજકોટ ખાતે રામનાથ પરા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા કરુણ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ગઈકાલે DNA સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર્ટર પ્લેન દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ પોતાના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

પૂર્વ CM વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી સાંજે 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાન પહોંચી હતી. સમગ્ર રાજમાર્ગ પર આશરે 6 કિલોમીટર સુધી લોકોની લાંબી કતારો જોવા મળી હતી, અને સતત 'વિજયભાઈ તું અમર રહો...', 'ભારત માતા કી જય...' ના નારા ગુંજી રહ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતા હતા.

વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget