શોધખોળ કરો

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન: રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં ઉમટી જનમેદની, 'વિજયભાઈ તું અમર રહો'ના નારાથી ગુંજી ઉઠ્યું રાજકોટ.

Vijay Rupani death news: ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે રાજકોટ ખાતે રામનાથ પરા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા કરુણ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ગઈકાલે DNA સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર્ટર પ્લેન દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ પોતાના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

પૂર્વ CM વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી સાંજે 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાન પહોંચી હતી. સમગ્ર રાજમાર્ગ પર આશરે 6 કિલોમીટર સુધી લોકોની લાંબી કતારો જોવા મળી હતી, અને સતત 'વિજયભાઈ તું અમર રહો...', 'ભારત માતા કી જય...' ના નારા ગુંજી રહ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતા હતા.

વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
Embed widget