શોધખોળ કરો

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન: રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં ઉમટી જનમેદની, 'વિજયભાઈ તું અમર રહો'ના નારાથી ગુંજી ઉઠ્યું રાજકોટ.

Vijay Rupani death news: ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે રાજકોટ ખાતે રામનાથ પરા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા કરુણ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ગઈકાલે DNA સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર્ટર પ્લેન દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ પોતાના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

પૂર્વ CM વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી સાંજે 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાન પહોંચી હતી. સમગ્ર રાજમાર્ગ પર આશરે 6 કિલોમીટર સુધી લોકોની લાંબી કતારો જોવા મળી હતી, અને સતત 'વિજયભાઈ તું અમર રહો...', 'ભારત માતા કી જય...' ના નારા ગુંજી રહ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતા હતા.

વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
ગિગ વર્કરો માટે મોટી રાહત! સરકારની આ યોજનામાં કરો રજિસ્ટ્રેશન, મળશે પેન્શનની સુવિધા
Embed widget