પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન: રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં ઉમટી જનમેદની, 'વિજયભાઈ તું અમર રહો'ના નારાથી ગુંજી ઉઠ્યું રાજકોટ.

Vijay Rupani death news: ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે રાજકોટ ખાતે રામનાથ પરા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા કરુણ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ગઈકાલે DNA સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર્ટર પ્લેન દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ પોતાના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.
#WATCH | Rajkot | Former Gujarat CM Vijay Rupani was cremated by his son Rushabh.
— ANI (@ANI) June 16, 2025
The former CM was given full state honour in the presence of Union Home Minister Amit Shah, Gujarat Governor Acharya Devvrat and CM Bhupendra Patel. Former CM Rupani lost his life in the Air India… pic.twitter.com/MwvH90yO7k
પૂર્વ CM વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી સાંજે 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાન પહોંચી હતી. સમગ્ર રાજમાર્ગ પર આશરે 6 કિલોમીટર સુધી લોકોની લાંબી કતારો જોવા મળી હતી, અને સતત 'વિજયભાઈ તું અમર રહો...', 'ભારત માતા કી જય...' ના નારા ગુંજી રહ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતા હતા.
#WATCH | Rajkot | Last rites of Former Gujarat CM Vijay Rupani were performed. Union Home Minister Amit Shah, Gujarat Governor Acharya Devvrat and CM Bhupendra Patel are also present
— ANI (@ANI) June 16, 2025
The former CM lost his life in the Air India Plane crash in Ahmedabad on June 12 pic.twitter.com/6o2gZPohWu
વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.





















