શોધખોળ કરો

અમરેલીના આ ગામમાં સુરત-અમદાવાદથી આવતાં લોકોએ 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો સૌરાષ્ટ્રના કયા શહેરો-ગામડામાં છે સ્વૈચ્છિક લોકડાઉન

શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા સૌરાષ્ટ્રના કેટલાક શહેરો, ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

અમરેલીઃ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજુલાના કોવાયા ગામમાં 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન છે. ગામમાં માસ્ક વગર રખડતાં લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ કરાશે.  કોવાયા ગામમાં સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી આવતાં લોકોએ 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.   જાફરાબાદ શહેરમાં શનિ-રવિનું લોકડાઉન જાહેર કરાયું છે. ખાંભા તાલુકાના ડેડાણ અને ત્રાકુડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. અમરેલી વેપારી મહામંડળ દ્વારા  એક અઠવાડિયા સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

રાજકોટઃ શહેરમાં કોરોનાનો કહેર વધતા વધુ એક બજારમાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રાજકોટની સોની બજારમાં વીકેન્ડ લોકડાઉન છે. જેના કારણે 500થી વધુ દુકાનો સવારથી બંધ છે.

ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાના કેસ વધતાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સોની બજાર સંપૂર્ણ બંધ છે.

દ્વારકાઃ ભાણવાડનું ગુંદા ગામ આજથી ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે. શનિ, રવિ, સોમ ત્રણ દિવસ આખો દિવસ બંધ બાદ મંગળવારથી ગામ દરોજ બપોરે 1 વાગ્યા બાદ બંધ પાળશે. 2200 જેટવી વસ્તી ધરાવાવતા ગામમાં બહારથી આવતા ફેરિયાઓને વેપાર કરવા ગામમાં આવવાની મનાઈ ફરમાવામાં આવી છે.

બોટાદઃ કોરોના સંક્રમણ વધતા બોટાદ જિલ્લાના આ ત્રણ શહેરો આજે સ્વયંભૂ બંધ રહેશે. બોટાદ, બરવાળા અને ગઢડા શહેરમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. બોટાદ નગરપાલિકા સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી. 

જામજોધપુરઃ વધતા કોરોના કેસને ધ્યાને રાખી જામજોધપુર સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં મેડિકલ ઈમરજંસી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. સવારથી જ શહેરની મુખ્ય બજારો અને લારી ગલ્લા સહિતના તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે. 21 એપ્રિલથી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેનો અમલ 30મી એપ્રીલ સુધી કરવામાં આવશે.

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ત્રણ દિવસ બંધ રહેશે. ધ્રાંગધ્રામાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ધ્રાંગધ્રામાં બપોરના બે વાગ્યા બાદ દુકાનો બંધ રખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
Embed widget