શોધખોળ કરો

અમરેલીના આ ગામમાં સુરત-અમદાવાદથી આવતાં લોકોએ 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો સૌરાષ્ટ્રના કયા શહેરો-ગામડામાં છે સ્વૈચ્છિક લોકડાઉન

શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા સૌરાષ્ટ્રના કેટલાક શહેરો, ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.

અમરેલીઃ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજુલાના કોવાયા ગામમાં 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન છે. ગામમાં માસ્ક વગર રખડતાં લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ કરાશે.  કોવાયા ગામમાં સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી આવતાં લોકોએ 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.   જાફરાબાદ શહેરમાં શનિ-રવિનું લોકડાઉન જાહેર કરાયું છે. ખાંભા તાલુકાના ડેડાણ અને ત્રાકુડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. અમરેલી વેપારી મહામંડળ દ્વારા  એક અઠવાડિયા સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

રાજકોટઃ શહેરમાં કોરોનાનો કહેર વધતા વધુ એક બજારમાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રાજકોટની સોની બજારમાં વીકેન્ડ લોકડાઉન છે. જેના કારણે 500થી વધુ દુકાનો સવારથી બંધ છે.

ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાના કેસ વધતાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સોની બજાર સંપૂર્ણ બંધ છે.

દ્વારકાઃ ભાણવાડનું ગુંદા ગામ આજથી ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે. શનિ, રવિ, સોમ ત્રણ દિવસ આખો દિવસ બંધ બાદ મંગળવારથી ગામ દરોજ બપોરે 1 વાગ્યા બાદ બંધ પાળશે. 2200 જેટવી વસ્તી ધરાવાવતા ગામમાં બહારથી આવતા ફેરિયાઓને વેપાર કરવા ગામમાં આવવાની મનાઈ ફરમાવામાં આવી છે.

બોટાદઃ કોરોના સંક્રમણ વધતા બોટાદ જિલ્લાના આ ત્રણ શહેરો આજે સ્વયંભૂ બંધ રહેશે. બોટાદ, બરવાળા અને ગઢડા શહેરમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. બોટાદ નગરપાલિકા સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી. 

જામજોધપુરઃ વધતા કોરોના કેસને ધ્યાને રાખી જામજોધપુર સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં મેડિકલ ઈમરજંસી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. સવારથી જ શહેરની મુખ્ય બજારો અને લારી ગલ્લા સહિતના તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે. 21 એપ્રિલથી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેનો અમલ 30મી એપ્રીલ સુધી કરવામાં આવશે.

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ત્રણ દિવસ બંધ રહેશે. ધ્રાંગધ્રામાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ધ્રાંગધ્રામાં બપોરના બે વાગ્યા બાદ દુકાનો બંધ રખાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget