શોધખોળ કરો

ગુજરાતમાં સરકારે મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવતા કયા શહેર વેપારીઓએ નોંધાવ્યો વિરોધ? શું આપી ચિમકી?

રાજકોટની ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજકોટમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી. સરકાર એકબાદ એક લોકડાઉન વધારે છે. હવે 18 તારીખ પછી લોકડાઉન લંબાવશે તો દુકાનો ખોલી નાંખશું, તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ગઈ કાલે રાજ્ય સરકારે મિનિ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કર્યો છે. હવે 18મી મે સુધી રાજ્યના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલમાં રહેશે. ત્યારે રાજકોટમાં વેપારીઓનો વિરોધ યથાવત છે. રાજકોટની ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજકોટમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી. 

સરકાર એકબાદ એક લોકડાઉન વધારે છે. હવે 18 તારીખ પછી લોકડાઉન લંબાવશે તો દુકાનો ખોલી નાંખશું, તેમ વેપારીઓએ જણાવ્યું હતું. દુકાનો ખોલો  અથવા સંપૂર્ણ લોકડાઉન કરો, તેવી પણ તેમણે માંગણી કરી હતી. 

નવસારીમાં આંશિક લોક ડાઉન લંબાવાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. નવસારીમાં મોબાઈલ એન્ડ એસેસરીઝ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. દુકાનો બંધ રહેતા આર્થિક ભારણ વધવાની વેપારીઓએ ચિંતા જતાવી . ગુજરાતમાં ચાલતા મોબાઇલ અને એસેસરીઝના ઓનલાઈન વેપારને બંધ કરવાની પણ માંગ કરી હતી. કલેક્ટરે સરકારમાંથી નિર્ણય થાય તો છૂટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. 

વડોદરામાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાન ખુલ્લી રાખતાં દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી. વડોદરા પાલિકા અને પોલીસની સંયુકત ટીમે કાર્યવાહી કરી હતી. જેટલપુર વિસ્તારમાં ગેલેક્સી હાર્ડવેર નામની દુકાન બંધ કરાવી સીલ કરી હતી. પાલિકાની ટીમે દુકાન સીલ કરી. દુકાન માલિક પાલિકાની ટીમ સાથે ખોટી દલીલ કરી રહ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં કલર સપ્લાય કરતા હોવાની બહાનાબાજી કરી રહ્યા હતા.

જોકે, વધુ એક અઠવાડિયું બજારો બંધ રાખવાના સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓ માટે જીવન નિર્વાહ કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. નવાયાર્ડમાં ટેલરિંગનો વ્યવસાય કરતા મનોજ મેકવાને હૈયા વરાળ ઠાલવી. મેકવેલ ટેલર ની દુકાન પર 4 પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. માલિક મનોજ મેકવાન અને 3 કારીગરો માટે મુસીબત ઉભી થઇ છે. ઇદનો તહેવાર જેમાં મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકો કપડા સિવડાવે છે. હાલ ટેલારિંગની દુકાન બંધ હોવાથી ઘરના, દુકાનની લોનના હપ્તા ભરવા પણ અઘરા સાબિત થઈ રહ્યા છે. 3 થી 4 કલ્લાક સવારે દુકાન ખોલવાની સરકાર મંજૂરી આપે તેવી માંગ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget