શોધખોળ કરો

રાજકોટમાં PM મોદીએ એઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યુંઃ 'એઇમ્સથી 5 હજાર રોજગારી ઊભી થશે'

ખાતમુહૂર્ત પ્રસંગ માટે સ્થળ પર એક વિશાળ ડોમ ઉભો કરાયો છે. રાજકોટથી એઈમ્સ સુધીના રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાવાયા છે.

રાજકોટઃ ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું આજે પીએમ મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું.  ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 2021 માં વેકસીન માટે તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ ચરણમાં વેકસીન માટે તૈયારીઓ ચાલુ છે. આખું ભારત એક જૂથથી આગળ વધશે. એઇમ્સ રાજકોટમાં 5000 રોજગાર ઉભી થશે. મેડિકલ સુવિધા સાથે દરેક રોજગારી અહીંયા ઉભી થશે. ખાતમુહૂર્ત પ્રસંગ માટે સ્થળ પર એક વિશાળ ડોમ ઉભો કરાયો છે. રાજકોટથી એઈમ્સ સુધીના રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાવાયા છે. એઈમ્સના શિલાન્યાસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન, રાજ્યમંત્રી અશ્વીનીકુમાર ચૌબે વગેરે હાજર રહેનાર હોય આજે પોલીસ-પ્રશાસન દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. એરપોર્ટ, રેસકોર્સ રીંગરોડ, જામનગર રોડ સહિત માર્ગો પર વહેલી સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. 1 હજાર 195 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજકોટ એઈમ્સનું કામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 201 એકરમાં કુલ 19 બિલ્ડીંગનું નિર્માણ કરાશે. જેમાં 9 પ્લાનને મંજૂરી પણ મળી ચૂકી છે. તો એઈમ્સ સુધી પહોંચવાના રસ્તાઓના બનાવવાના કામ પણ શરૂ કરી દેવાયા છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ OPDથી લઈને ટ્રોમા સેન્ટર સુધી ઈમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં આકાર પામનારી એઈમ્સમાં તબીબી શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડ્રી, મેડિકલ ગેસ સહિતના વિભાગોમાં સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની જરૂર પણ મોટાપાયે પડશે. આ સિવાય સિક્યુરિટી, ભોજન અને સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની મદદ લેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget