શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોનાનો કહેર, ચાર જિલ્લામાં નવા 14 કેસ સામે આવ્યા
સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 14 કેસ સામે આવ્યા છે.
![સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોનાનો કહેર, ચાર જિલ્લામાં નવા 14 કેસ સામે આવ્યા Increased coronavirus in Saurashtra 14 new cases in four districts સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોનાનો કહેર, ચાર જિલ્લામાં નવા 14 કેસ સામે આવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/21225525/0105.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 14 કેસ સામે આવ્યા છે.
ભાવનગરમાં કોરોનાના નવા 6 કેસ, અમરેલીમાં કોરોનાના નવા 3 કેસ, જામનગરમાં નવા 4 કેસ અને સુરેંદ્રનગરમાં પણ એક કેસ નોંધાયો છે.
ભાવનગરમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહુવાના તલગાજરડા, ભાવનગરના સણોસરા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં મળીને કુલ 6 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે.
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. ખાંભાના તાલડા ગામે બે કેસ પોઝીટીવ, તો સરદાર નગરમાં એક યુવાન કોરોના સંક્રમિત થયો છે. અમરેલી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ છે.
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વધુ 4 કેસ નોંધાયા છે. જામનગરમાં સતત કેસ વધતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
સુરેંદ્રનગરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. શહેરમાં 38 વર્ષની મહિલા કોરોના સંક્રમિત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ સંક્રમિત આંકડો 94 થયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)