શોધખોળ કરો

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચારઃ નરેશ પટેલ નહીં જોડાય કોંગ્રેસમાં

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પણ કોંગ્રેસમાં નહીં જોડાય.

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પણ કોંગ્રેસમાં નહીં જોડાય. પ્રશાંત કિશોરને કમાન સોંપાય તો જ કોંગ્રેસમાં જોડાવાની નરેશ પટેલની પ્રાથમિક તૈયારી હતી. પ્રશાંત કિશોર સાથે દિલ્લીમાં એક સામાજિક કાર્યક્રમમાં નરેશ પટેલની મુલાકાત થઈ હતી. પ્રશાંત કિશોરની ગેરહાજરીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. 

તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસમાં (Congress) જોડાવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અનેક રાઉન્ડની બેઠકો અને પ્રઝેન્ટેશન બાદ પણ પ્રશાંત કિશોરને કોંગ્રેસની ઓફર પસંદ નથી આવી.

પીકેની કેટલીક દરખાસ્તો અવ્યવહારુ અને તકવાદીઃ
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પીકે પોતાના માટે કોંગ્રેસમાં કઈ રોલ ઈચ્છતા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર (1) પીકેની કોંગ્રેસ નેતૃત્વ સાથે કેટલાક મોટા હોદ્દા અંગે વાતચીત થઈ હતી, તેથી માત્ર એક કમિટીના સભ્ય બનાવવાની દરખાસ્ત પીકેને સારી ન લાગી. 

 

(2) કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સૌથી મોટી સમસ્યા પીકેની કંપની આઈપેકનું ટીઆરએસ જેવી કોંગ્રેસની રાજકીય હરીફ પાર્ટી સાથે કામ કરવું હતું. હાલ પ્રશાંત કિશોરની કંપની આઈપેક TRS માટે કેમ્પેઈનિંગ અને પ્રમોશનનું કામ કરે છે.

(3) આ ઉપરાંત, રાજ્યોમાં ગઠબંધન અંગે પીકેની કેટલીક દરખાસ્તો કોંગ્રેસના નેતાઓ દ્વારા તકવાદી અને અવ્યવહારુ હોવાનું જણાયું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ પીકેના હાથમાં ચૂંટણીની કમાન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં હતા.

પીકે લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતાઃ
આપને જણાવી દઈએ કે, તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતૃત્વ સાથે નવેસરથી વાતચીત શરૂ કરી હતી અને પાર્ટીમાં મોટા ફેરફારો અંગે વિગતવાર સૂચનો આપ્યા હતા. ગત વર્ષના મધ્યમાં પણ પીકે કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતા. એવી અટકળો ચાલી રહી હતી કે આ વખતે પીકે કોંગ્રેસમાં જોડાશે અને તેમને મહાસચિવ જેવું મહત્વનું પદ આપીને ચૂંટણીની જવાબદારી સંભાળવા માટે કહેવામાં આવી શકે છે. કારણ કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીકેની રજૂઆતથી પ્રભાવિત હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીકેએ કોંગ્રેસને લોકસભાની લગભગ 400 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું, અને સંગઠન અને જન સંવાદની રણનીતિમાં મોટા ફેરફારો પણ સૂચવ્યા હતા. આ સિવાય પીકેએ રાજ્યોમાં વિવધ પાર્ટીઓ સાથે ગઠબંધનને લઈને પણ પ્રસ્તાવો મુક્યા હતા.

કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget