શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ગીર-સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, જૂનાગઢમાં વરસાદ બાદ ધોધ જીવંત થયો

ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે.

Monsoon: ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં દોઢ ઇંચ, તાલાલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

કોડીનાર શહેર, દેવળી, પીપળી, છારા, સરખડી રોનાજ,  મિતિયાજ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુત્રાપાડામાં વડોદરા ઝાલા, પસનાવડા, બાવા, વાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સાથે જ વાવડી, લોઢવા, સિંગસર, ધામલેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે.

ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. પવિત્ર પરષોત્તમ માસ નાં પ્રથમ દિવસે જ વરસાદી માહોલ છવાયો છે.


સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ગીર-સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, જૂનાગઢમાં વરસાદ બાદ ધોધ જીવંત થયો

વરસાદ પડવાને લીધે જૂનાગઢમાં ધોધ જીવંત થયા છે. માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે ઘોઘમ ધોધ જીવંત થયો છે અને લોકોમાં આકર્ષણનું કેંદ્ર બન્યો છે. માળીયા પંથકમાં સારા વરસાદથી ઘોઘમ ધોધમાં પાણીની આવક થઈ છે.


સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ગીર-સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, જૂનાગઢમાં વરસાદ બાદ ધોધ જીવંત થયો

ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ ચોમાસાના 50 ટકાથી વધુ વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ચોમાસાની મોસમના વરસાદના ડેટા અનુસાર, રાજ્યમાં શનિવારે સવારે 6 વાગ્યા સુધી 441.88 મીમી વરસાદ નોંધાયો હતો.

રાજ્યભરના જિલ્લાઓ પર નજર કરીએ તો, કચ્છ જિલ્લામાં સૌથી વધુ 112.07 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દાહોદ જિલ્લામાં સૌથી ઓછો 25.61 ટકા વરસાદ નોંધાયો છે. પ્રદેશ મુજબ, ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ કચ્છ પ્રદેશમાં સૌથી વધુ પડ્યો છે. . બિપરજોય ચક્રવાતના કારણે આ વિસ્તારમાં ઘણો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં કચ્છમાં 68.45 ટકા અને ઉત્તર ગુજરાતમાં 50.74 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 41.44 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ મધ્ય ભાગમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં અહીં માત્ર 36.45 ટકા વરસાદ નોંધાયો છે.

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધુ વરસાદ પડે છે, પરંતુ આ વખતે એવું નથી. બીજી તરફ, કચ્છ અને સૌરાષ્ટ્રને અર્ધ શુષ્ક ઝોન ગણવામાં આવે છે જ્યાં અત્યાર સુધીમાં પ્રમાણમાં વધુ વરસાદ થયો છે.અંજાર તાલુકામાં 190 ટકા પાણી પડી ગયું છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget