શોધખોળ કરો

Rajkot: સાળંગપુરમાં હનુમાન દાદાના અપમાન બદલ સ્વામિનારાયણના સંતોને અલ્ટીમેટમ, બ્રહ્મ સમાજના આગેવાનો કરશે વિરોધ

Rajkot: સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાન દાદાના અપમાનથી હિંદુ સમાજમાં ભારે આક્રોશ છે

રાજકોટઃ સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીના અપમાનને મુદ્દે કથાકારો અને સંતોમાં સતત આક્રોશ વધી રહ્યો છે. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચે લગાવેલ પ્લેટને લઈ મોરારી બાપુ જેવા કથાકારો બાદ અનેક સંત-મહંતો આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. .કેમ કે પ્રતિમાની નીચેની પ્લેટમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા બતાવ્યા હોવાના કારણે ભક્તોમાં રોષ છે.


Rajkot: સાળંગપુરમાં હનુમાન દાદાના અપમાન બદલ સ્વામિનારાયણના સંતોને અલ્ટીમેટમ, બ્રહ્મ સમાજના આગેવાનો કરશે વિરોધ

 

        
સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાન દાદાના અપમાનથી હિંદુ સમાજમાં ભારે આક્રોશ છે. રાજકોટમાં બહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુરમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે. સાથે સ્વામિનારાયણના સંતોને પાંચ તારીખ સુધીનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કરણી સેના આગેવાનો પણ વિરોધ પ્રદર્શન કરશે.


Rajkot: સાળંગપુરમાં હનુમાન દાદાના અપમાન બદલ સ્વામિનારાયણના સંતોને અલ્ટીમેટમ, બ્રહ્મ સમાજના આગેવાનો કરશે વિરોધ

અગાઉ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં સ્પષ્ટ કર્યું કે હનુમાનજી આદી અનાદી કાળથી છે. વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી. આજે VHPના આગેવાનો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે. અશોક રાવલે કહ્યું કે વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહેશે. તમામને સાથે રાખવાનું કામ VHP કરે છે. સાથે જ કહ્યું કે અભણને એક રાખવા સરળ, જ્ઞાનીને સાથે રાખવા અઘરા છે.

નોંધનીય છે કે અગાઉ હનુમાન દાદાના અપમાનને લઇને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.

આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.

મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. 'કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. 'દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
Iran Drone: કેટલું ખતરનાક છે ઈરાનનું 'કર્રાર' ડ્રોન? જેટ એન્જીનથી ચાલતું આ હથિયાર અમેરિકા માટે કેમ બન્યું છે માથાનો દુખાવો?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
Embed widget