શોધખોળ કરો

Rajkot: સામૂહિક આપઘાતના પ્રયાસમાં પુત્ર પછી પિતાનું પણ મોત, દીકરી સારવારમાં 

ગઈ કાલે પુત્રનું મોત નીપજ્યું હતું. આ પછી પિતાનું પણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બ્રાહ્મણ પરિવારના સામુહિક અપઘાતને લઈને સમાજના આગેવાનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા માટે રજુઆત કરી છે.

રાજકોટઃ કર્મકાંડી વિપ્ર પરિવારના ત્રણ સભ્યોએ આપધાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. શાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પોતે પુત્રી અને પુત્રે જેરી દવા પી જતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામમાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે પુત્રનું મોત નીપજ્યું હતું. આ પછી પિતાનું પણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બ્રાહ્મણ પરિવારના સામુહિક અપઘાતને લઈને સમાજના આગેવાનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા માટે રજુઆત કરી છે. 

કોરોના ન થાય તેથી આ દવા પી લેવાનુ કહેતા પુત્રી અને પુત્રએ પીધી હતી. ત્યારબાદ પોતે પી લેતા ત્રણેય બેભાન થઈ ગયા હતા. પત્નીએ દવા ન પીતા પોલીસને જાણ કરતા પરિવારના ત્રણને સારવારમાં ખસેડાયા હતા. કમલેશભાઈના પત્નીનો આક્ષેપ છે કે, એસ. ડી વોરા વકીલના સંબંધીને કમલેશભાઈએ 1.20 કરોડમાં મકાન વેચ્યું હતું.

ગઈ કાલે રાજકોટમાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પુત્રનું મોત થતાં પિતા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે, હવે પિતાનું પણ મોત નીપજ્યું છે. છેતરપિંડી થઇ હોવાને કારણે પિતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ હતો.


માત્ર 20 લાખ આપી બીજી 1કરોડની રકમ ન આપી વકીલ વોરા દ્વારા ખોટા કેસ કરાવતા હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બેભાન લોકો સ્વસ્થ થતાં નિવેદન લેશે.

કમલેશભાઈએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે. મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાયા છે. પિતાએ કોરોનાની દવા છે તેમ કહી પુત્ર-પુત્રી અને પોતે પણ પી લીધી હતી. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, 2.12 કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે.

કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા. રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતાં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
Embed widget