શોધખોળ કરો

Rajkot: પોતાને કલકી અવતાર ગણાવી વિવાદમાં રહેતા રમેશ ફેફરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 

રમેશ ફેફરે કાલાવડ રોડ પર આવેલા અર્ક બંસરી સોસાયટીમાં આવેલા પોતાના રહેણાંત મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

રાજકોટ: રાજકોટ શહેરમાં રહેતા અને પોતાની કલકી અવતાર ગણાવતા રમેશ ફેફરે આત્મહત્યા કરી લીધી છે. રમેશ ફેફરે કાલાવડ રોડ પર આવેલા અર્ક બંસરી સોસાયટીમાં આવેલા પોતાના રહેણાંત મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.  વર્ષોથી એકલવાયુ જીવન જીવતા ફેફરે રાત્રિના સમયે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

પ્રાથમિક તારણ મુજબ એકલવાયું જીવન જીવવાથી કંટાળીને રમેશ ફેફરે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. રમેશ ફેફરનો પરિવાર હાલ વિદેશમાં હોય તેમને જાણ કરવામાં આવી છે.  રમેશ ફેફરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રમેશચંદ્ર ફેફર ભૂતકાળમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ  વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પોતાને ભગવાન કલકીનો અવતાર ગણાવતા હતા. 

પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી ચર્ચામાં આવ્યા હતા

રમેશચંદ્ર ફેફરે જળસંપત્તિ વિભાગ અને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેઓએ લખ્યું હતું કે મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવવામાં આવે.

રમેશચંદ્રએ લખેલા પત્ર મુજબ, જય ભારત સાથ જણાવવાનું કે સરકાર સરોવર નર્મદા નિગમ પુનવર્સવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે અને આ રીતે કોરોનાકાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે.'

'હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા વીસ વર્ષ થયા સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલ નથી. છેલ્લા વીસ વરસના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડોનો ફાયદો થયેલ છે. તેમ છતા મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણીનો વરસાદ અને બરફ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલે.' 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Bhayavadar: વ્યાજખોરીનો ભોગ બન્યો વધુ એક ખેડૂત પુત્ર, પઠાણી ઉઘરાણીથી કંટાળીને કરી આત્મહત્યા
Bhayavadar: વ્યાજખોરીનો ભોગ બન્યો વધુ એક ખેડૂત પુત્ર, પઠાણી ઉઘરાણીથી કંટાળીને કરી આત્મહત્યા
Rajkot: સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા ગેરરીતિ મામલો: લૉ કૉલેજના 59 વિદ્યાર્થીઓ દોષિત, તમામ પર 1 વર્ષનો પ્રતિબંધ
Rajkot: સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા ગેરરીતિ મામલો: લૉ કૉલેજના 59 વિદ્યાર્થીઓ દોષિત, તમામ પર 1 વર્ષનો પ્રતિબંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
Embed widget