શોધખોળ કરો

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ

જો કે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યાં હતાં.

Parshottam Rupala: પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર, ભાવનગર, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવનગર શહેરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચાર કર્યા હતા. જો કે એક સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભાજપના ચાલું કાર્યક્રમમાં અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડીવાર માટે સ્થગિત થયો હતો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહીતના નેતાઓ હાજર હતાં.

જો કે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યાં હતાં. તો આ,તરફ છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ વિરૂદ્ધ ભાવનગરમાં શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન થયું છે. પૂનમ માડમના પ્રચાર કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટમાં પણ વિરોધના કારણે રૂપાલાનો ગઈકાલે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિયસમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે. આ દરમિયાન નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચ્યો છે.

ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી. મીટિંગના ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામાં આપ્યા હતા. આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય. રજપૂત સમાજે પડખે રહેવાની ખાત્રી આપી હતી. જોકે રવિવારે સાંજે 5 વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજવામાં આવશે.

કોણે કોણે આપ્યા રાજીનામાં

રાજપાલસિંહ ગોહિલ આઈ ટી સેલ કો કન્વીર નર્મદા જિલ્લો, અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી, કિસાન મોરચા ,રાજેન્દ્રસિંહ ગોહિલ - સ્પોર્ટસ સેલ કન્વીનર, નર્મદા, પુષ્પરાજસિંહ ગોહિલ , મંત્રી,યુવા મોરચા ,જયવીર સિંહ ગોહિલ ,યુવા મોરચાએ રાજીનામા આપ્યા છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Advertisement

વિડિઓઝ

Ahmedabad Suicide Case: અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
Gir Somnath Suicide News : ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.
Morbi Video Viral: મોરબીમાં જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી તમાશો,  વીડિયો વાયરલ
Jamnagar Murder News: જામનગરના સિક્કા ગામમાં તલવારના ઘા ઝીંકી મહિલાની હત્યાથી ખળભળાટ
Bhavnagar Accident: ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત, 15ને ઈજા, એકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
'ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે મળીને લડશે ચૂંટણી', સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
વિશ્વનો એક એવો દેશ જ્યાં એક પણ રખડતો કૂતરો જોવા નથી મળતો, જાણો કેવી રીતે સ્વાનની વસ્તીને કરી કંટ્રોલ
વિશ્વનો એક એવો દેશ જ્યાં એક પણ રખડતો કૂતરો જોવા નથી મળતો, જાણો કેવી રીતે સ્વાનની વસ્તીને કરી કંટ્રોલ
E-Aadhaar App: સરકાર લાવવા જઈ રહી છે નવી એપ, એક ક્લિકમાં થશે આધાર સંબંધિત આ ચાર કામ
E-Aadhaar App: સરકાર લાવવા જઈ રહી છે નવી એપ, એક ક્લિકમાં થશે આધાર સંબંધિત આ ચાર કામ
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Ola S1 Pro: પહેલીવાર ભારતમાં આવી રહ્યું છે ADAS ટેકનોલોજી વાળું સ્કૂટર, જાણો તેના સ્માર્ટ ફીચર
Ola S1 Pro: પહેલીવાર ભારતમાં આવી રહ્યું છે ADAS ટેકનોલોજી વાળું સ્કૂટર, જાણો તેના સ્માર્ટ ફીચર
Embed widget