શોધખોળ કરો

Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું, રાજકોટના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું 

રાજ્યમાં ઉનાળાની  ધીરે-ધીરે શરુઆત થઈ રહી છે.  ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું છે.  સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.22 ટકા પાણીનો જથ્થો છે.  

રાજકોટ: રાજ્યમાં ઉનાળાની  ધીરે-ધીરે શરુઆત થઈ રહી છે.  ત્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું છે.  સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.22 ટકા પાણીનો જથ્થો છે.  એવામાં રાજકોટના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે.  ઉનાળાને ધ્યાનમાં રાખી રાજકોટના ન્યારી 1 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. 

શિયાળામાં આજી ડેમ પણ ખાલીખમ થઈ જતાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. એવામાં હવે ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યું છે.  રાજકોટમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવે છે.  ઉનાળાના પ્રારંભમાં જ રાજકોટના ડેમ ખાલીખમ થઈ જતાં હજુ ઉનાળાના અંત સુધી નર્મદાના પાણીથી ભરવા પડશે. 

Mehsana: જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરતા ખળભળાટ

મહેસાણા:

 

ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો

મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.

ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી

જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે  પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.

આ જમીનની કીમત કરોડોની છે

ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget