શોધખોળ કરો

RAJKOT : નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે વિજય રૂપાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

એક બાજુ કોંગ્રેસે તેમના માટે લાલ જાજમ બિછાવી છે, તો બીજી બાજું આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને AAPમાં સામેલ કરવા માટે આતુર છે.

RAJKOT : ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે આજકાલ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ કોંગ્રેસે તેમના માટે લાલ જાજમ બિછાવી છે, તો બીજી બાજું આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને AAPમાં સામેલ કરવા માટે આતુર છે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓના પણ નિવેદન સામે આવ્યા છે, જે કહી રહ્યાં છે કે નરેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ મંત્રી ગોવિદ પટેલે નિવેદનો આપ્યાં  છે. 

શું કહ્યું વિજય રૂપાણી અને અન્ય BJP નેતાઓએ ?

નરેશ પટેલના રાજકરણમાં જોડાવના સમાચારને લઈ અલગ અલગ ભાજપ નેતાઓના નિવેદન સામે આવ્યાં  છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ કહ્યું કે નરેશ પટેલ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે , નરેશ પટેલ ભાજપ સાથે રહેશે. તો રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે ક્યાં પક્ષમાં જોડાવવું એ  નરેશ પટેલનો વ્યક્તિગત નિર્ણય છે લોકશાહીમાં બધાને પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે. તો રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું કે લોકશાહીમાં પોતાનો વ્યક્તિગત નિર્ણય લેવાનો સૌ કોઈને અધિકાર છે, નરેશભાઈ સમજુ અને હોશિયાર છે, યોગ્ય નિર્ણય લેશે.

 

નરેશ પટેલે કોંગ્રેસ કે આપ નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી.

તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસો પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે, ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સમય આવ્યે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે, તે ખબર પડશે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે માત્ર પાટીદારો સામેના કેસો નહીં, પણ તમામ સમાજના દીકરા-દીકરીઓ સામેના કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
Embed widget