શોધખોળ કરો

સુરત ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડુ પાડ્યું,  400થી વધુ કાર્યકર્તાઓ 'આપ'માં જોડાયા

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.  અડાજણ રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. 

સુરતમાં ભાજપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.  આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.  અડાજણ રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. 

અડાજણ રાંદેર વિસ્તારએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. 

પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા. છેલ્લા દોઢ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આપમાં જતા સુરત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં ભાજપનું માળખું ખુબ જ મજબુત માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કાર્યકર્તાઓનાં અનુસાર કોરોના કાળ દરમિયાન સરકાર અને તંત્ર સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

14 જૂને દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની હાજરીમાં પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી અને બુકે આપી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઇસુદાન ગુજરાતના કેજરીવાલ છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન છે. રજવાડામાં વહેંચાયેલા દેશને સરદાર પટેલે મહેનત કરીને એક કર્યો. છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે દેશની હાલત બગાડી છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપ- કોંગ્રેસની દોસ્તીની સરકાર છે. જ્યારે ભાજપને જરૂર હોય ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. ગુજરાતના લોકો, વેપારીઓ ડરેલા છે. ચેમ્બરમાં મારો કાર્યક્રમ યોજાયો હતો જે, સત્તાપક્ષે રદ્દ કરાવ્યો હતો. કોરોનાકાળમાં ગુજરાતને અનાથ તરીકે છોડી દેવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પાસે વિકલ્પ ન રહ્યો હતો. હવે ગુજરાતના લોકોને એક સમર્થ વિકલ્પ મળશે. હવે બદલાશે ગુજરાત. આપ તમામ બેઠક પર વિધાનસભા ચૂંટણી લડશે. શિક્ષણ, આરોગ્ય મુદ્દે આપ ચૂંટણી લડશે. દિલ્લી મોડલ ગુજરાતનું મોડલ ન હોઈ શકે. દરેક રાજ્યની અલગ અલગ સમસ્યા હોય છે. અમે કોઈ પક્ષ કે વ્યક્તિ, નેતાની વિરુદ્ધ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ થશે શાંત, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ થશે શાંત, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Love Jihad : મોહસીને મનોજ નામ ધારણ કરી ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, જુઓ અહેવાલRajkot Mayor Naynaben Pedhadiya : મહાકુંભથી આવેલા મેયર નયનાબેને શું કર્યો ખુલાસો?Faisal Patel : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું કોંગ્રેસને બાયબાય, શું કરી જાહેરાત?PM Modi and Donald Trump hold bilateral talks: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કયા મુદ્દે થઈ વાતચીત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ થશે શાંત, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ થશે શાંત, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
હવે ન નાસ્તો,ન હોટેલમાં જગ્યા અને ન તો... ગૌતમ ગંભીરના નજીકના સહાયક અંગે BCCI એક્શન મૂડમાં!
હવે ન નાસ્તો,ન હોટેલમાં જગ્યા અને ન તો... ગૌતમ ગંભીરના નજીકના સહાયક અંગે BCCI એક્શન મૂડમાં!
Health Tips: ઠંડા પાણીમાં તરવાથી નહીં પડો બીમાર, વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો શું કહે છે વિજ્ઞાન
Health Tips: ઠંડા પાણીમાં તરવાથી નહીં પડો બીમાર, વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો શું કહે છે વિજ્ઞાન
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.