શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: કૉંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકર્તાઓમાં રોષ, નેતાઓના પૂતળાનું કરાયું દહન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
![Surat: કૉંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકર્તાઓમાં રોષ, નેતાઓના પૂતળાનું કરાયું દહન Anger Congress workers in Surat Surat: કૉંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકર્તાઓમાં રોષ, નેતાઓના પૂતળાનું કરાયું દહન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24003728/Surat-congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આજે પરિણામ બાદ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. સુરતમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે સુરત કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારોની ટિકિટ વેચી નાંખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે.
સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ ત્રણ નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કદીર પીરજાદા, તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં અને નેતાઓના પૂતળા દહન કરાયું હતું.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.સુરત મનપામાં ભાજપને 93 બેઠક અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે.
![Surat: કૉંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકર્તાઓમાં રોષ, નેતાઓના પૂતળાનું કરાયું દહન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24003555/Surat-congress.jpg)
![Surat: કૉંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકર્તાઓમાં રોષ, નેતાઓના પૂતળાનું કરાયું દહન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24003617/Congress-surat.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)