શોધખોળ કરો
Advertisement
સુરતમાં ગણેશ ઉત્સવને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં ગણેશ ઉત્સવને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરવી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement